fbpx
Monday, October 21, 2024

જાણો દિવાળી પૂજા દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને શું અર્પિત કરવું જોઇએ?

આ વર્ષે દિવાળી 1 નવેમ્બર શુક્રવારનાં રોજ મનાવવામાં આવશે. દિવાળીનાં દિવસે મા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં હંમેશા ધન-ધાન્ય બની રહે છે. ક્યારેય આર્થિક તંગી, દરિદ્રતા અને આર્થિક પરિસ્થિતિ ઉત્પન્ન નહીં થાય. આમ, દિવાળીનાં દિવસે પૂજા દરમિયાન મા લક્ષ્મી અને શ્રી ગણેશને અનેક વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે.

દિવાળી પૂજનમાં લક્ષ્મી-ગણેશને હળદરની ગાંઠ અર્પિત કરો

હળદરની ગાંઠ બહુ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તમે હળદરની ગાંઠ કોઈ પૂજા-પાઠમાં મુકો છો તો આનાથી લગ્નમાં આવતી અડચણો તેમજ વૈવાહિક જીવનનાં ક્લેશ દૂર થઈ જાય છે. આમ, દિવાળી પૂજનમાં લક્ષ્મી ગણેશને હળદરની ગાંઠ અર્પિત કરો છો તો આનાથી જીવનમાં અપાર ખુશીઓનું આગમન થાય છે અને કોઈપણ પ્રકારની નકારાત્મકતા નાશ થઈ જાય છે.

દિવાળી પૂજનમાં લક્ષ્મીને પતાશા ચઢાવો છો તો અનેક લાભ થાય છે. એવી માન્યતા છે કે દિવાળીનાં દિવસે પૂજા દરમિયાન પતાશા અર્પિત કરો છો તો ધન-ધાન્ય ઘરમાં બની રહે છે. ઘરમાં બરકત થાય છે અને સાથે પરિવારનાં સભ્યોનાં ઉન્નતિનાં માર્ગ ખુલે છે. ઘરની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. ઘરમાં ક્યારેય ધનનો અભાવ નહીં થાય. ધન પ્રાપ્તિનાં માર્ગ ખુલ્લાં થઈ જાય છે.

પૈસાનો થાળ અર્પણ કરો

દિવાળીનાં દિવસે ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીને વૃદ્ધિનું કારક માનવામાં આવે છે. એવામાં લક્ષ્મીજીને દિવાળીનાં દિવસે ઘરમાં જેટલાં પૈસા હોય એ તમે એક થાળીમાં મૂકીને અર્પિત કરો. પૈસા પર ચોખા અને કુમકુમ લગાવો. આમ કરવાથી ધનની રક્ષા થાય છે અને ઘરમાં ધનનાં આગમનનાં નવા-નવા રસ્તા ખુલવા લાગે છે. આમ, તમે દિવાળીમાં આ વસ્તુઓ અર્પિત કરો છો તો તમને અનેક લાભ થઈ શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles