fbpx
Thursday, October 24, 2024

દિવાળીમાં આ ઉપાય જરૂર કરો, આર્થિક તંગી દૂર થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો. તો દિવાળીના દિવસે તમારે આ ઉપાયો અચૂંકથી કરવા જોઈએ. જેનાથી તમારી આર્થીક તંગી તો દૂર થશે સાથેજ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે.

આપણા સનાતન ધર્મમાં દિવાળીનું મહત્વ ઘણું છે. દરેક ઘરમાં દિવાળીની સાંજે મા લક્ષ્મી અને ગણેશજીની પૂજા થતી હોય છે. દિવા વગર તો દિવાળીની કલ્પના પણ ના કરી શકાય. ભગવાન રામ દિવાળીના દિવસે 14 વર્ષનો વનવાસ ભોગવીને લંકા પર વિજય મેળવી અયોધ્યા પહોંચ્યા હતા. જેમની ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીએ અમુક ખાસ દીવા પણ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં બરકત રહે છે અને તમારી પાસે ધન સંપત્તિ પણ રહેશે. જેથી આજે અમે તમને જણાવીશું કે જો તમારે આર્થિક તંગીથી મુક્તિ મેળવવી હોય તો દિવાળીના દિવસે તમારે કેવા દીવા કરવા જોઈએ.

ધર્મ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો કરવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.

આ સિવાય દિવાળીના દિવસે તમારે ઘરમાં મંદિરમાં જરૂર દીવો કરવો જોઈએ. તેનાથી મા લક્ષ્મી અને ગણેશજીનો આશીર્વાદ સદા તમારી સાથે રહેશે.

દિવાળીના દિવસે ઘરમાં દક્ષિણ દિશામાં દીવા કરવા જોઈએ. તેનાથી ઘરમાં જે પણ નકારાત્મકતા હોય છે તે દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.

જો તમને સફળતા મેળવવામાં સમસ્યાઓ આવી રહી છે, તો તમારે દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર એક ઘીનો દીવો જરૂર કરવો જોઈએ. ઘરના આંગણે જો તમે ઘીનો દીવો કરશો તો તમારા રોકાયેલા દરેક કામ પૂરા થશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles