fbpx
Saturday, October 26, 2024

જો તમને દરરોજ રાત્રે પગમાં દુખાવો થાય, તો તે આ વિટામિનની ઉણપ હોઈ શકે છે

જો રાત્રે સૂતી વખતે તમને પગમાં અસહ્ય પીડા થતી હોય તો તે વિટામીનની કમી હોવાનું સૂચવે છે. આજે અમે આપને તેના ઉપાયો વિશ પણ જણાવશુ.

જો તમને રોજ રાત્રે અસહ્ય પગ તૂટતા હોય તો એ આ વિટામીનની હોઈ શકે છે ઉણપ હોવાનુ સૂચવે છે. જેના ઉપાયો વિશે પણ અહીં જણાવશુ.

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પગમાં સખત દુખાવો થાય છે, જેને તેઓ ઘણીવાર અવગણતા હોય છે, પરંતુ આ સમસ્યા કેટલાક વિટામિનની ઉણપને કારણે થઈ શકે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો રાત્રે પગમાં દુખાવો થાય છે, તો તે ઘણીવાર વિટામિન ડીની ઉણપનો સંકેત હોઈ શકે છે.

ચાલો જાણીએ કે આ વિટામિનની ઉણપને કારણે શરીરમાં અન્ય કયા લક્ષણો દેખાય છે.

વિટામિન ડીની ઉણપને કારણે પણ સતત થાક લાગે છે. કેટલાક સંશોધનો અનુસાર, વિટામિન ડીની ઉણપને કારણે, લોકો ઘણીવાર ચીડીયા રહેવા લાગે છે અને તેમનામાં ચિંતાના લક્ષણો વધી શકે છે.

આ વિટામિનની ઉણપથી કરોડરજ્જુ, હિપ્સ અને પગના હાડકાંમાં તૂટક તૂટક તીવ્ર દુખાવો થઈ શકે છે, જેને અવગણવું જોઈએ નહીં.વારંવાર શરદી કે અન્ય સીઝનલ બીમારી પણ તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોવાનો સંકેત છે. વિટામિન ડીની ઉણપને કારણે ખંજવાળ, ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે.

વિટામિન ડીની ઉણપને કારણે ઘણા લોકોના સ્વાદમાં ફેરફાર થવા લાગે છે. તેમને અચાનક ખાદ્ય ચીજો વધુ તીખી અને ખારી લાગે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપ પૂરતો સૂર્યપ્રકાશ ન મળે અથવા યોગ્ય ખોરાક ન મળે ત્યારે આવે છે. રોજ ઓછામાં ઓછી 15 મિનિટ સૂર્યમાં વિતાવો. તમારા આહારમાં વિટામિન ડી યુક્ત ખોરાક (ઇંડા, માછલી, ડેરી ઉત્પાદનો અને મશરૂમ્સ) નો પણ સમાવેશ કરો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles