fbpx
Sunday, October 27, 2024

ધનતેરસના દિવસે જો તમે પણ આ વસ્તુ ખરીદશો તો ઘર ધનથી ભરાઈ જશે

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું મહત્વ છે. વર્ષ દરમિયાન દિવાળીનો તહેવાર સૌથી મુખ્ય તહેવાર હોય છે. દિવાળીના તહેવાર પાંચ દિવસના હોય છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધનવંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે ખરીદીના પણ શુભ મુહૂર્ત હોય છે. આ દિવસે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું મહત્વ છે.

ધનતેરસના દિવસે શુભ ખરીદી કરી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધે અને જળવાઈ રહે તે માટે કરોડપતિ લોકો હોય તે પણ ધનતેરસના દિવસે ખાસ વસ્તુ ખરીદતા હોય છે. આ વસ્તુ ખરીદવાના કારણે તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદીને ઘરે રાખવાથી આખું વર્ષ ઘરમાં ધન સંપત્તિ છલોછલ રહે છે. તો ચાલો તમને જણાવીએ ધનતેરસના દિવસે સોના ચાંદી સિવાય એવી કઈ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ધનતેરસના દિવસે મોટાભાગે લોકો પોતાની શક્તિ અનુસાર સોના કે ચાંદીના સિક્કા ખરીદતા હોય છે. પરંતુ આ દિવસે મોટા ભાગના કરોડપતિ લોકો એક એવી વસ્તુ ખરીદે છે જેના કારણે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ વસ્તુ છે ચમચી. ધનતેરસના દિવસે નાનકડી ચાંદીની ચમચી ખરીદવાથી લાભ થાય છે. આ ચમચી નો ઉપયોગ ખાવા પીવામાં કરવામાં આવતો નથી.ધનતેરસના દિવસે ચાંદીની ચમચી ખરીદી અને માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી તેને તિજોરીમાં રાખી દેવામાં આવે છે. માન્યતા છે કે અ નાનકડું કામ કરી લેવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ધનતેરસના દિવસે ચાંદીની ચમચી ખરીદવાથી આખું વર્ષ ઘરમાં પૈસાની તેમની સર્જાતી નથી. ધન સતત વધારો થાય છે. જો ચાંદીની ચમચી ખરીદી શકાય નહીં તો પિત્તળ અથવા સ્ટીલની ચમચી પણ ખરીદી શકાય છે.

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં ધનના દેવતા કુબેરની પૂજા કરવાની સાથે માતા લક્ષ્મી અને ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માતાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં લોટમાંથી બનેલા દીવામાં ચાર વાટનો દીવો કરવો જોઈએ. સાથે જ સૂકા ધાણાના બી, કોડી, એક જાડું અને એક ચમચી ખરીદવી. માન્યતા છે કે આ વસ્તુની ખરીદી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર પર ધનવર્ષા કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles