fbpx
Monday, October 28, 2024

ધનતેરસ પર આ તુલસી ઉપાય કરવાથી ધન-સંપત્તિમાં વધારો થશે!

દર વર્ષે કારતક મહિનામાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ત્યારે તુલસીના ઉપાયો થકી તમને ખૂબ પુણ્ય મેળવી શકશો.

ધનતેરસ પર તુલસી સંબંધિત કેટલાક ઉપાયો કરવાથી તમારી ધન-સંપત્તિમાં વધારો થશે. તહેવારના આ મહિનામાં તુલસીનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે, જેને કરવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

ધનતેરસની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્‍મી પ્રસન્ન થાય છે અને ધનમાં વધારો થાય છે. આ સિવાય તુલસીની સામે દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ધનતેરસ પર તુલસીને કાચું દૂધ ચઢાવો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. તુલસી પર કાચું દૂધ ચઢાવવાથી દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે.

આ સિવાય ધનતેરસ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીને તુલસીની માળા ચઢાવો. આ ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ધનતેરસ પર આ ઉપાય કરવાથી વ્યક્તિ જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. તેની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles