fbpx
Monday, October 28, 2024

નવરાત્રિમાં શક્તિશાળી ‘સિદ્ધ કુંજિકા સ્ત્રોત’નો પાઠ કરો, મા જગદંબા દૂર કરશે સૌથી મોટી સમસ્યા

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. આવી સ્થિતિમાં મા દુર્ગાને પ્રસન્ન કરવા ભક્તો વ્રત, ઉપવાસ, પૂજા વગેરે કરે છે. આ સાથે જ માતાજીને પ્રસન્ન કરવા માટે શ્રીદુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું પણ વિધાન છે. જો શ્રીદુર્ગા સપ્તશતી મુશ્કેલ લાગે તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરી શકાય.

લોકોને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો થોડો મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો વધુ સરળ અને પ્રભાવશાળી છે. કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી સપ્તશતીના પાઠનું ફળ મળે છે. તેના મંત્રો સ્વત: સિદ્ધ કરેલા છે. તેમને અલગથી સિદ્ધ કરવાની જરૂર નથી. આ એક અદ્ભુત સ્તોત્ર છે જેનો પ્રભાવ ખૂબ જ ચમત્કારિક છે. તેનો નિયમિત પાઠ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી થતાં લાભ

1. વ્યક્તિને વાણી અને મનની શક્તિ મળે છે.
2. વ્યક્તિની અંદર અનંત ઊર્જાનો સંચાર છે.
3. વ્યક્તિને ખરાબ ગ્રહોના પ્રભાવથી મુક્તિ મળે છે.
4. જીવનમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
5. તંત્ર મંત્રની નકારાત્મક ઉર્જાનો કોઈ પ્રભાવ નથી થતો.

સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો

સાંજે કે રાત્રે આ પાઠ કરવાથી લાભ થશે. દેવીની સામે દીવો પ્રગટાવો. આ પછી લાલ આસન પર બેસો. જો તમે લાલ કપડાં પહેરી શકો, તો તે વધુ ઉત્તમ રહેશે. આ પછી દેવીને પ્રણામ કરો અને સંકલ્પ લો. ત્યારબાદ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરનાર સાધકે પવિત્રતાનું પાલન કરવું જોઈએ.

સિદ્ધ કુંજિકા સ્તોત્રના મંત્રો

શિવ ઉવાચ

શ્રૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકાસ્તોત્રમુત્તમમ્ ।
યેન મંત્રપ્રભાવેણ ચણ્ડિજાપઃ ભવેત્।।1।।
ન કવચં નાર્ગલાસ્તોત્રં કીલકં ન રહસ્યકમ્ ।

ન સૂક્તં નાપિ ધ્યાનં ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ્ ।।2।।
કુંજિકાપાઠમાત્રેણ દુર્ગાપાઠફલં લભેત્ ।

અતિ ગુહ્યતરં દેવિ દેવાનામપિ દુર્લભમ્।।3।।
ગોપનીયં પ્રયત્નેન સ્વયોનિરિવ પાર્વતિ।
મારણં મોહનં વશ્યં સ્તમ્ભાનોચ્ચાટનાદિકમ્ ।
પાઠમાત્રેણ સંસિદ્ધ યેત્ કુંજિકાસ્તોત્રમુત્તમમ્ ।।4।।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles