અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. એવી જ રીતે શનિવારનો દિવસ સૂર્યપુત્ર શનિદેવની પૂજા અર્ચના કરવા માટે છે. આ દિવસે જે પણ ભક્ત ભદવાન શનિદેવની સાચ્ચા મનથી આરાધના કરે છે તેમની દરેક દોષ અને પીડા દૂર થઈ જાય છે. તે ઉપરાંત શનિવારના દિવસે અમુક ખાસ ઉપાયો કરવાથી જીવનની ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
આજ જરૂર અપનાવો આ ઉપાય
આજે લગાવો શમીનું વૃક્ષ
આજના દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં પોતાના ઘરની બહાર શમીનું વૃક્ષ લગાવો અને નિયમિત રીતે તેની દેખરેખ કરો. જો તમે શમીનું વૃક્ષ આજના દિવસે ન લગાવી શકો તો ફૂલ સહિત શમીના ઝાડનો ફોટો ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરો.
તેને ફ્રેમ કરાવી પોતાના ઘરની એ દિવલ પર લગાવી દો જે ઘરમાંથી બહાર નિકળતી વખતે તમને દેખાય છે. આજે આમ કરવાથી તમને અને તમારા સંપૂર્ણ પરિવારને ઘરમાં થતા ક્લેશથી જલ્દી જ મુક્તિ મળશે.
દાંપત્ય જીવન માટે
જો તમારા દાંપત્ય જીવનમાં ખુશી નથી તેમાં કોઈ ત્રીજુ દખલ કરી રહ્યું છે તો તેનાથી પોતાનો પીછો છોડાવવા માટે આજના દિવસે તમારે એક મુઠ્ઠી મસૂરની દાળ લઈ તેને પોતાના જીવનસાથીના હાથથી સાત વખત સ્પર્શ કરાવવી. સ્પર્શ કર્યા બાદ તે મસૂરની દાળને કોઈ સાફ વહેતા જળમાં પ્રવાહિત કરી દો.
બિઝનેસમાં થતુ નુકસાન અટકાવવા
જો તમને કોઈ પણ કામમાં મન નથી લાગી રહ્યું જેના કારણે તમને બિઝનેસમાં પણ નુકસાન થઈ રહ્યું છે તો આજના દિવસે પીપળાના ઝાડમાં જળ અર્પિત કરો. સાથે જ તમારા કાકા કે બાપુજીને કાળા રંગનો શર્ટ ગિફ્ટ કરો.
સાથે જ શનિદેવના મંત્રનો જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ‘ॐ शं यो देवरिभिष्टय आपो भवन्तु पीतये, शं योरभि स्त्रवन्तु नः’. આ ઉપાયથી તમારા બિઝનેસની સ્થિતિમાં પણ સુધાર થશે.
પોઝિટિવ ઉર્જા માટે
પોતાની અંદર પોઝિટિવ ઉર્જાને બનાવી રાખવા અને નવા વિચારોને સમાવવા માટે આજના દિવસે તમારે ઢોલ કે મૃદંગ પર વગાડેલા સંગીતની ધ્વની સંભળવી જોઈએ. સાથે જ તમારી પાસે તેમાંથી કોઈ યંત્ર છે અને તમે તેને વગાડવા જાવ છો તો આજના દિવસે અમુક સમય નિકાળીને તમને ઢોલ કે મૃદંગ પર સંગીત જરૂર વગાડવું જોઈએ.
ઉધારીના પૈસા પાછા મેળવવા માટે
જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા છે અને હવે તે તમને પૈસા પરત નથી આપી રહ્યું તો આજના દિવસે તમને મંગળના મંત્રનો જાપ કરવો પડશે. મંગળનો મંત્ર આ પ્રકારે છે ‘ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:’.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા
જો તમે આર્થિક રીતે લાભ લેવા માંગો છો તો આજના દિવસે વાદળી પુષ્પ લઈને પીપળાના ઝાડની પાસે મુકીને ઘરે આવી જાઓ અને ઘરે આવીને શનિદેવના મંત્રનો 108 વખત જાપ કરો. મંત્ર આ પ્રકારે છે- ‘ऊं शं शनैश्चराय नम:’.
દરેક કષ્ટ દૂર કરવા માટે
જો તમે પોતાના બધા કષ્ટ દૂર કરીને એક સુખી જીવન જીવવા માંગો છો તો આજના દિવસે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દિવો કરો. સાથે જ શનિના મંત્રનો 21 વખત જાપ કરો.
મંત્ર આ પ્રકારે છે- ‘ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’. આજના દિવસે આમ કરવાથી તમારા જીવનના બધા જ કષ્ટ દૂર થશે અને તમારૂ જીવન સુખી થશે.
ભય દૂર કરલા માટે
જો તમને હંમેશા કોઈને કોઈ વસ્તુનો ભય રહે છે અને તેના કારણે તમને મુશ્કેલી થઈ રહી છે તો આજના દિવસે સવા કિલો કાળા અડદ અને બે લાડુ મંજદિરના કોઈ ધર્મસ્થળ પર દાન કરો.
સંતાન પ્રાપ્તિ માટે
જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો આજના દિવસે એક કાંસાના કટોરામાં સરસવનું તેલ લઈને તેમાં પોતાનો ચહેરો જોઈને શનિનું દાન લેનાર વ્યક્તિને કટોરી સહિત દાન કરી દો. જો તમે કાંસાની કટોરી ન લઈ શકો તો સ્ટીલની કટોરીમાં મુકીને આપી દો.
(નોંધ: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)