fbpx
Saturday, October 26, 2024

નાળિયેરના આ ટોટકા તમને સમૃદ્ધ બનાવશે, જેમની પાસે પૈસા ન ટકતા હોય તેમના માટે ઉપયોગી

ઘણા લોકોને આર્થિક ક્ષેત્રે ખૂબ જ પડકારોનો સામનો કરવો પડે છે. ગમે તેટલી મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી. કહેવાય છે કે, તમે પૈસા કમાવ છો પણ તમારા ખિસ્સામાં ટકતા નથી, તો આર્થિક તંગીની શરૂઆત થાય છે. કમાણી કરવા છતાં જો તમારે જરૂર પડ્યે બીજાની સામે હાથ લંબાવવો પડતો હોય તો તમારે ઉપાયની જરૂર છે. આ ઉપાય કરવાથી તમે ધનવાન બની શકો છો.

તમારા પૈસા તમારી પાસે જ રહેશે.

હિન્દુ ધર્મમાં નારિયેળને શુભ માનવામાં આવે છે. દરેક ધાર્મિક – માંગલિક કાર્યક્રમમાં પૂજા દરમિયાન નારિયેળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. દેવી લક્ષ્‍મી પણ નારિયેળને ખૂબ પસંદ કરતાં હોવાની માન્યતા છે. આમ તમારી નબળી આર્થિક સ્થિતિનો ઉપાય નાળિયેર સાથે જ સંકળાયેલો છે. દેવીપ્રિય નાળિયેર તમારી આર્થિક તંગીને દૂર કરી શકે છે અને માતા લક્ષ્‍મી પ્રસન્ન થશે અને તમારા પર ધનવર્ષા થશે.

ફક્ત એક નાળિયેર ઘરે લાવો અને તેનો ઉપાય કરો. તેનાથી તમારા પર ધનની દેવી લક્ષ્‍મીની કૃપા જળવાઈ રહેશે અને તમે ધનવાન બનશો.

પૈસાની તંગીથી છુટકારો અપાવશે આ ઉપાય :

જો તમારા હાથમાં પૈસો ટકતો નથી તો તમે આ ઉપાય કરીને પૈસાની તંગીથી છુટકારો મેળવી શકશો. ધન-સંપત્તિના ઉપાર્જન ઉપાય માટે સૌ પ્રથમ કોપરેલ નારિયેળ લો. આ સાથે કમળનું ફૂલ, દહીં, સફેદ કપડું અને સફેદ મીઠાઈઓ પણ લેવી. આ તમામ વસ્તુઓ ધનની દેવી માતા લક્ષ્‍મીને અર્પણ કરો. ત્યારબાદ લાલ રંગનું કપડું લો અને તેમાં આ નારિયેળ બાંધો. બાંધેલ નાળિયેર ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

ખરાબ નજર પણ થશે દૂર

ધન-સંપદા ટકતી ન હોવા ઉપરાંત જો તમારા ઘર પર કોઈની નજર લાગી હોય તો પણ તમે નારિયેળનો ઉપાય કરી શકો છો. કોઈની પણ ખરાબ દ્રષ્ટિને હટાવવા માટે નારિયેળ પર કાજલનો ટીકા લગાવો એટલેકે તિલક કરો અને બાદમાં તેને નદીમાં પધરાવી દો. આ સામાન્ય ઉપાય કરવાથી પણ ઘરને લાગેલી કોઈની પણ ખરાબ નજર દૂર થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles