fbpx
Saturday, October 26, 2024

ગંગા સપ્તમીએ ધન પ્રાપ્તિ અને નોકરીમાં પ્રગતિ માટે કરો આ ખાસ ઉપાય

27 એપ્રિલે ગંગા સપ્તમી છે. હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ શુક્લ પક્ષના સાતમા દિવસે મા ગંગા સ્વર્ગ વિશ્વના ભગવાન શંકરના જટાઓમાં વિરાજમાન થયા હતા. આ વિશેષ દિવસ ગંગા સપ્તમી તરીકે ઓળખાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગા સપ્તમીના દિવસે જ ભગીરથ ઋષિની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ગંગા ઘરતી પર અવતરિત થયા હતા. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગામાં ડૂબકી લેવાથી વ્યક્તિને બધા પાપોથી મુક્તિ મળે છે.

ગંગા સપ્તમીના દિવસે દાન-પુણ્યનુ વિશેષ મહત્વ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન, તપ અને દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગા સપ્તમીના દિવસે ગંગા સ્નાનનુ વિશેષ મહત્વ હોય છે.

જો કે આ વર્ષે કોરોના સંકટકાળના કારણે ભક્ત ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નના કરી શકે છે. મા ગંગાની કૃપા તમારા પર કાયમ રહેશે.

ગંગા સપ્તમી પર ધન માટે કરો આ ઉપાય

ગંગા સપ્તમીના દિવસે લોટામાં ગંગાજળ ભરીને તેમા પાંચ બિલિપત્ર નાખો.

તેને ભગવાન શિવલિંગ પર એક ધારાથી આ ગંગાજળ ઓમ નમ: શિવાયનો જાપ કરતા તેને અર્પિત કરો.

ત્યારબાદ ભગવાન શિવને બેલપત્ર ચઢાવો.

કહેવાય છે કે આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વ્યક્તિને રોજગારમાં નવા તકની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles