fbpx
Thursday, October 24, 2024

કન્યા રાશિમાં કરશે સૂર્ય ગોચર, આ રાશિના જાતકોનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે

ગ્રહોના રાજા સૂર્ય દર વર્ષે રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય એક રાશિમાં લગભગ 30 દિવસ સુધી રહે છે. એવામાં એક રાશિમાં ફરી આવવામાં લગભગ 12 માસનો સમય લે છે. પિતા તુલ્ય સૂર્ય વ્યક્તિત્વ, ઈચ્છા, સફળતા અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં સૂર્યના ગોચરની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈ ન કોઈ રીતે પ્રભાવ પાડે છે. જણાવી દઈએ કે સૂર્ય 17 સપ્ટેમ્બરની સવારે સાંજે 7 વાગ્યાને 11 મિનિટ પર પોતાની સ્વરાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્યના આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર પડી શકે છે. આઓ જાણીએ કે સૂર્યના ગોચરથી કઈ રાશિઓની કિસ્મત ચમકશે.

સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી કોને લાભ મળશે?

વૃષભ

આ રાશિમાં સૂર્ય પાંચમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં રાજનેતાઓ માટે ખૂબ જ શુભ સંકેત મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. રાજનેતાઓને જનતાનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને પણ સફળતા મળી શકે છે. માતાનો સંપૂર્ણ સહયોગ મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસ કરો. આનાથી આર્થિક લાભ મળવાની પૂરી શક્યતાઓ છે.

કન્યા

આ રાશિમાં સૂર્ય લગ્ન ભાવમાં રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. વિદેશ વેપારમાં અપાર સફળતા અને નાણાંકીય લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. આ સિવાય આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે.

ધન

સૂર્ય આ રાશિમાં દસમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ઘરને વ્યવસાય અને કાર્યસ્થળનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોનું અંગત જીવન ખૂબ જ સારું રહેવાનું છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. કરિયરમાં કેટલાક બદલાવ આવી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. નવું મકાન અને વાહન ખરીદવા માટે સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles