આ વર્ષે રાધાષ્ટમી શનિવારે એટલે આજે છે. રાધા અષ્ટમી પર 5 રાશિઓ એવી છે જેની કિસ્મત ચમકી શકે છે. એમના પર માતા લક્ષ્મીની કૃપા રહી શકે છે, જેનાથી ધનલાભ થશે અને કરિયરમાં ઉન્નતિ થશે. અવાકના નવા સ્ત્રોત બનશે. જે લોકો પ્રેમ સબંધમાં છે, એમને સફળતા મળી શકે છે, સાથે જ તમે તમારા શત્રુઓ પર હાવી થઇ શકો છો.
કર્કઃ રાધા અષ્ટમીના દિવસે તમે તમારા વિરોધીઓ પર સફળતા પ્રાપ્ત કરશો. નોકરિયાત લોકોના કામનો પ્રભાવ વધશે, જેનાથી તમને ફાયદો થશે. તમારા બોસની નજરમાં તમારું કદ વધી શકે છે. તમારું કાર્ય સફળ થશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે. લાઈફ પાર્ટનર અથવા લવ પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે.
સિંહ: રાધારાણી સાચા પ્રેમનું પ્રતીક છે. રાધા અષ્ટમી પર તમને પ્રેમ જીવનમાં સફળતા મળશે. કોઈ નવું કામ કરવા માટે સમય સાનુકૂળ છે. આ દિવસે તમારું મન પૂજા અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. દાન-પુણ્ય કરવાથી મનને શાંતિ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. શિક્ષણ અને સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે.
તુલા: રાધા અષ્ટમીનો દિવસ તમારા માટે આર્થિક લાભ સાથે જોડાયેલો છે. અચાનક નાણાકીય લાભથી તમારી નાણાકીય બાજુ મજબૂત થશે. આજે કરવામાં આવેલ રોકાણ તમને ભવિષ્યમાં મોટો આર્થિક લાભ લાવી શકે છે. તમે તમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનશો. વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પૂજા કે ધાર્મિક કાર્યો માટે યાત્રા થઈ શકે છે.
ધન: રાધા અષ્ટમીના દિવસે વ્યાપારીઓ પર દેવી લક્ષ્મીની કૃપા થઈ શકે છે. વેપારમાં તમને મોટો નફો મળી શકે છે, નિકાસ-આયાત સાથે સંકળાયેલા લોકો વધુ નફો કરવામાં સફળ થશે. નોકરી કરતા લોકોને પણ આર્થિક લાભ થશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
મીન: રાધા અષ્ટમી તમારી રાશિના લોકો માટે ભાગ્યશાળી છે. તમે તમારા કરિયરમાં મોટી છલાંગ લગાવી શકો છો. પોસ્ટમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમને તમારા જૂના અટકેલા પૈસા મળી શકે છે, વ્યવસાયિક લોકોને પણ આર્થિક લાભ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)