હિન્દુ પંચાંગ અનુસાર, આસો માસ(ઉત્તર ભારત) કૃષ્ણ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી પર કહેવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી મંગળવાર 10 ઓકોટોબરના રોજ પડી રહી છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખુબ મહત્વ છે.
પિતૃ પક્ષ દરમિયાન આવવા વાળી ઇન્દિરા એકદાશીને પિતૃઓના ઉદ્ધાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી આપણા પિતૃઓના પાપ ધોવાઈ છે અને એમને યમ લોકથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
તિથિ તેમજ મુહૂર્ત
એકાદશીની તિથિ 9 ઓક્ટોબરે બપોરે 12:36 વાગ્યાથી શરૂ થશે અને 10 ઓક્ટોબરે બપોરે 3:08 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ અનુસાર 10 ઓક્ટોબરે એકાદશી વ્રત રાખવામાં આવશે.
પારણા 11 ઓક્ટોબરે થશે, જેનો શુભ સમય સવારે 06:19 થી 08:38 સુધીનો છે. ભક્તોએ આ બે કલાકમાં વ્રત પૂર્ણ કરવું જોઈએ.
શ્રાદ્ધમાં છે વિશેષ મહત્વ
આ શ્રાદ્ધ પક્ષની એકાદશી છે અને આ એકાદશીમાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ વ્રતની ધાર્મિક પ્રવૃત્તિઓ દશમીથી જ શરૂ થાય છે. દશમીના દિવસે અર્પણ વગેરે કરી બ્રાહ્મણોને નદીમાં પ્રસાદ ચઢાવો અને પછી જાતે ભોજન કરો. દશમી પર સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું.
એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી બપોરે ફરીથી શ્રાદ્ધ-તર્પણ કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પૂજા કર્યા પછી દાન કરો અને પારણા કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)