fbpx
Sunday, October 27, 2024

ઈન્દિરા એકાદશી ક્યારે છે? શ્રાદ્ધમાં છે વિશેષ મહત્વ, જાણો મહત્વ

હિન્દુ પંચાંગ અનુસાર, આસો માસ(ઉત્તર ભારત) કૃષ્ણ પક્ષની એકાદશીને ઇન્દિરા એકાદશી પર કહેવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી મંગળવાર 10 ઓકોટોબરના રોજ પડી રહી છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખુબ મહત્વ છે.

પિતૃ પક્ષ દરમિયાન આવવા વાળી ઇન્દિરા એકદાશીને પિતૃઓના ઉદ્ધાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી આપણા પિતૃઓના પાપ ધોવાઈ છે અને એમને યમ લોકથી મુક્તિ મળે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

તિથિ તેમજ મુહૂર્ત

એકાદશીની તિથિ 9 ઓક્ટોબરે બપોરે 12:36 વાગ્યાથી શરૂ થશે અને 10 ઓક્ટોબરે બપોરે 3:08 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ અનુસાર 10 ઓક્ટોબરે એકાદશી વ્રત રાખવામાં આવશે.

પારણા 11 ઓક્ટોબરે થશે, જેનો શુભ સમય સવારે 06:19 થી 08:38 સુધીનો છે. ભક્તોએ આ બે કલાકમાં વ્રત પૂર્ણ કરવું જોઈએ.

શ્રાદ્ધમાં છે વિશેષ મહત્વ

આ શ્રાદ્ધ પક્ષની એકાદશી છે અને આ એકાદશીમાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ વ્રતની ધાર્મિક પ્રવૃત્તિઓ દશમીથી જ શરૂ થાય છે. દશમીના દિવસે અર્પણ વગેરે કરી બ્રાહ્મણોને નદીમાં પ્રસાદ ચઢાવો અને પછી જાતે ભોજન કરો. દશમી પર સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું.

એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી બપોરે ફરીથી શ્રાદ્ધ-તર્પણ કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પૂજા કર્યા પછી દાન કરો અને પારણા કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles