રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવ જ એક પ્રત્ય રૂપથી દેખાતા દેવ છે, જેમની પૂજા આરાધના કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારની સફળતા મળે છે. જો તમે નિયમિત રૂપથી સૂર્યદેવને અર્ધ આપો તો તમને રોગોમાંથી મુક્તિ મળશે. દુર્યદેવને દરેક વ્યક્તિ જળ અર્પિત કરી શકે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિ એવી હોય છે ત્યારે અર્ધ અર્પણ કરવું ન જોઈએ.
સૂર્યદેવને જળ ચઢાવવાના ફાયદા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેમના મતે સૂર્યને અર્ઘ્ય અર્પિત કરવાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થાય છે, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે, પ્રગતિના નવા માર્ગો ખુલે છે, સમાજમાં વ્યક્તિનું સન્માન વધે છે અને તેઓ પોતાના ક્ષેત્રમાં સફળ પણ બને છે.
સૂર્યને જળ અર્પણ કરવાના નિયમો
- દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન વગેરે કરવું અને હંમેશા ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવું.
- સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ.
- આ કળશમાં પાણી, અક્ષત, લાલ ફૂલ, સાકર અને ચપટી હળદર ભેળવીને અર્ઘ્ય ચઢાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કોણે અર્ઘ્ય ન ચઢાવવું જોઈએ?
દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.
1. જે લોકોના પરિવારમાં જન્મ-મરણ સૂતક હોય તે લોકો ન ચઢાવે.
2. પથારી પર સૂતો દર્દી.
3. માસિક સ્રાવની સ્ત્રી.
4. સ્નાન કર્યા વિના પાણી ન ચઢાવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)