fbpx
Thursday, October 24, 2024

આખરે ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ શા માટે કરવામાં આવે છે? જાણો રસપ્રદ કથા

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે લોકો ઘણા ઉત્સવથી ગણેશજીની મૂર્તિ લાવી એમની ઘરમાં સ્થાપના કરે છે અને પુરી શ્રદ્ધા ભક્તિ સાથે એમની પૂજા કરે છે. 10 દિવસ સુધી ગણેશજીનો આ પર્વ ચાલે છે, ત્યાર પછી અનંત ચતુર્દશીના દિવસે ‘ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ’ આ ભાવના સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે.

પરંતુ શું તમે જાણો છો આખરે અનંત ચતુર્દશીના દિવસે કે 10 દિવસ પછી જ મૂર્તિનું વિસર્જન શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણીએ આની પૌરાણિક કથા.

મહાભારત અને વેદવ્યાસ

ગણપતિ બપ્પાની મૂર્તિને 10 દિવસ પછી જળમાં વિસર્જિત કરવા પાછળ મુખ્ય કારણ મહાભારત અને મહર્ષિ વેદવ્યાસ સાથે જોડાયેલું છે. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશને તેની નકલ કરવા વિનંતી કરી હતી. ભગવાન ગણેશે તમેની પ્રાર્થના સ્વીકારી અને મહાભારતનું લેખન કાર્ય શરુ કર્યું હતું.

ભગવાન ગણેશની શરત

જો કે, ભગવાન ગણેશએ મહર્ષિ વેદવ્યાસની પ્રાર્થના તો સ્વીકારી લીધી, પરંતુ તેમણે મહાભારતનું અનુલેખન કરવા માટે એક શરત મૂકી હતી, કે ‘જ્યારે હું લખવાનું શરૂ કરીશ, ત્યારે હું કલમ બંધ કરીશ નહીં, જો કલમ બંધ થઈ જશે, તો હું લખવાનું બંધ કરી દઈશ.’ ત્યારે વેદવ્યાસજીએ કહ્યું કે પ્રભુ, તમે દેવતાઓમાં આગેવાન છો, જ્ઞાન અને બુદ્ધિના દાતા છો અને હું એક સામાન્ય ઋષિ છું. જો મારાથી કોઈ શ્લોકમાં ભૂલ થાય તો કૃપા કરીને તે શ્લોક સુધારીને લખી દો.

ગણેશજીએ મંજૂરી આપી અને પછી રાત દિવસનું લેખન કાર્ય શરુ થયું અને આ કારણે ગણેશજીને થાક લાગતો હતો પરંતુ પાણી પીવું પ્રતિબંધિત હતું. તેથી ગણપતિજીના શરીરનું તાપમાન વધતું અટકાવવા માટે, વેદ વ્યાસે તેમના શરીર પર માટી લગાવી અને ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશજીની પૂજા કરી. જે પછી મહાભારત લખવાનું કામ શરૂ થયું. તેને પૂર્ણ કરવામાં લગભગ 10 દિવસનો સમય લાગ્યો હતો.

ભગવાન ગણેશ અકડી ગયા

જે દિવસે ગણેશજીએ મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ કર્યું તે દિવસે અનંત ચતુર્દશી હતી. પરંતુ દસ દિવસ સુધી લેખન બંધ ન થવાને કારણે ભગવાન ગણેશનું શરીર અસ્થિર થઈ ગયું હતું.જ્યારે માટી સુકાઈ ત્યારે ભગવાન ગણેશનું શરીર કડક થઈ ગયું હતું, જેના કારણે ભગવાન ગણેશનું નામ પાર્થિવ ગણેશ રાખવામાં આવ્યું. વેદવ્યાસે જોયું કે ગણપતિના શરીરનું તાપમાન હજુ પણ ઘણું વધારે છે અને તેમના શરીર પર લગાવવામાં આવેલ કાદવ સુકાઈ રહ્યો છે અને પડી રહ્યો છે, તેથી વેદવ્યાસે તેમને પાણીમાં નાખ્યા. આ દસ દિવસો દરમિયાન વેદવ્યાસે ભગવાન ગણેશને ખાવા માટે વિવિધ વસ્તુઓ આપી. આ જ કારણ છે કે 10 દિવસ સુધી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ 10 દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles