fbpx
Thursday, October 24, 2024

ચંદ્રદેવ મીન રાશિમાં ગોચર કરશે, આ રાશિઓ માટે બે દિવસ વરદાન સાબિત થશે

જ્યોતીષ શાસ્ત્રમાં ચંદ્ર દેવને સોમ પણ કહેવામાં આવે છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત રહેવાથી જાતકોને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્યાં જ કુંડળીમાં ચંદ્ર કમજોર હોવા પર માનસિક તણાવની સમસ્યા થાય છે. જાતક માનસિક રૂપથી બેચેન રહે છે. ઘણી વખત નિર્ણય લેવામાં અસમર્થ રહે છે. અંતે જ્યોતિષ ચંદ્રને મજબૂત કરવાની સલાહ આપે છે.

જ્યોતિષની માનીએ તો ચંદ્ર સવા બે દિવસ કોઈ એક રાશિમાં ગોચર કરે છે. ત્યાર બાદ ચંદ્ર રાશિ બદલી બીજી રાશિમાં જાય છે. જ્યોતિષ ગણના અનુસાર અનંત ચતુર્દશીના રોજ ચંદ્ર રાશિ બદલશે. એની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. એમાંથી કેટલીક રાશિ એવી છે જેને વધુ લાભ થશે. તો ચાલો જાણીએ આ રાશિ કઈ છે.

દર વર્ષે ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીએ અનંત ચતુર્થી ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 સપ્ટેમ્બર એટલે આજે અનંત ચતુર્દશી છે. આ દિવસે ગણેશ વિસર્જન પણ કરવામાં આવે છે. માટે આ દિવસ ખહુબા શુભ હોય છે. આ દિવસે તમામ શુભ કાર્ય કરી શકાય છે.

જ્યોતિષ પંચાંગ અનુસાર, ચંદ્ર 28 સપ્ટેમ્બર સંધ્યાકાળે 8 વાગ્યાને 27 મિનિટ પર કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સવા બે દિવસ સુધી ચંદ્ર દેવ ગોચર કરશે. ત્યાર બાદ મીન માંથી નીકળી મેષ રાશિમાં પ્રવેશ કરશે.

મીન રાશિના લોકો માટે ચંદ્રના ગોચરને કારણે તમામ ખરાબ બાબતોનો ઉકેલ આવશે. ચંદ્ર ભગવાનની કૃપાથી તમને માનસિક તણાવથી પણ રાહત મળશે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. અપરિણીત લોકો માટે સંબંધની વાતો થઈ શકે છે. પ્રેમીઓ પોતાના જીવનસાથી સમક્ષ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચ હોય છે, તેથી વૃષભ રાશિના લોકો પર ચંદ્ર ભગવાનની વિશેષ કૃપા વરસે છે. મીન રાશિમાં ચંદ્રના ગોચર દરમિયાન તે વૃષભના આવક ઘર તરફ નજર નાખશે. આ કારણે વૃષભ રાશિના લોકોને આર્થિક લાભ થશે. વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે. માનસિક સમસ્યાઓ દૂર થશે.

કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે અને પૂજનીય દેવતાઓના દેવ મહાદેવ છે. ચંદ્ર ભગવાન કર્ક રાશિના ભાગ્ય ઘર તરફ જોશે. તેથી કર્ક રાશિના લોકોનું નસીબ વધશે. બગડેલા કામ બનશે. આવકમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન તમે કોઈ શુભ કાર્ય કરી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles