fbpx
Monday, October 28, 2024

શનિ અમાવસ્યાના દિવસે સાડાસાતી અને ઢૈયાથી રાહત મેળવવા આ ઉપાય કરો

પિતૃમોક્ષ અમાસના દિવસને પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી આશીર્વાદ મળે છે. આ વર્ષે પિતૃમોક્ષ અમાસ સાથે સાથે શનિશ્વરી અમાસનો પણ શુભ સંયોગ બની રહ્યો છે જે 14 ઓક્ટોબરના દિવસે શનિવાર છે. આ દિવસે શનિશ્વરી અમાસ તથા શનિ આરાધના, પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ, સ્નાન દાન માટે શુભ માનવામાં આવે છે.

બંને અમાસના સંયોગથી આ વર્ષે પિતૃમોક્ષ અમાસનું મહત્વ વધી જાય છે.

આ વર્ષે સર્વપિતૃ અમાસના દિવસે શનિશ્વરી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે તર્પણ અને પિંડદાન કરવાથી સાત પેઢીના પૂર્વજો તૃપ્ત થાય છે.

શનિશ્વરી અમાસના દિવસે આ કામોનું પુણ્ય વધી જાય સહ સાથે જ શનિની ઢૈયા અને સાડાસાતીથી મળી રહેલી પીડામાં રાહત મળે છે.

શનિ અમાસ પર કેવી રીતે પૂજા કરવી

પંડિત રાજેશ પરાશરે કહ્યું કે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં ચોખા અને ફૂલ નાખીને સૂર્યદેવને જળ ચઢાવો. તે પછી પીપળના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને પીપળના વૃક્ષને પાણીમાં કાળા તલ, સાકર, ચોખા અને ફૂલ અર્પિત કરો અને ઓમ પિતૃભ્યૈ નમઃ મંત્રનો જાપ કરો.

શનિ અમાસ પર શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરો. ભગવાન શનિના શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો અને શનિ ચાલીસાનો પાઠ કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles