fbpx
Thursday, October 24, 2024

આજે નવરાત્રિના ચોથા દિવસે કરો મા કુષ્માંડાની પૂજા, જાણો પૌરાણિક કથા અને મંત્ર

આજે નવલા નોરતાનો ચોથો દિવસ છે. નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાના નવ સ્વરુપોની પૂજા થાય છે. ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે. આજના દિવસે શક્ય તેટલી કુષ્માંડા માતાની પૂજા કરવી જોઇએ. માતા કુષ્માંડા મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઉંમર, કીર્તિ, બળ અને સ્વાસ્થ્ય વધે છે.

મા કુષ્માંડાની પૂજા વિધિ પ્રમાણે કરવાથી મનવાંછિત ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડા દુનિયાને અનેક મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્ત કરે છે. આ દિવસે લાલ રંગના ફૂલોથી પૂજા કરવાની પરંપરા છે, કારણ કે લાલ રંગના ફૂલો માતા કુષ્માંડાને વધુ પ્રિય હોવાનું કહેવાય છે. મા કુષ્માંડાની યોગ્ય રીતે પૂજા કર્યા પછી, દુર્ગા ચાલીસા અને મા દુર્ગાની આરતી અવશ્ય કરવી જોઈએ.

માતાનું સ્વરુપ
કુષ્માંડા દેવીને આઠ હાથ છે.કુષ્માંડા દેવીને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે. માતાએ પોતાના હાથમાં ધનુષ અને બાણ, ચક્ર, ગદા, અમૃત વાસણ, કમળ અને કમંડલ ધારણ કર્યા છે. બીજી તરફ, માતા પાસે સિદ્ધિઓ અને નિધિઓવાળા જપની માળા પણ છે. તેમનું વાહન સિંહ છે.

મા કુષ્માંડાની કથા
પૌરાણિક કથાઓ અનુસાર વિશ્વને રાક્ષસોના અત્યાચારથી મુક્ત કરવા માતા દુર્ગાએ કુષ્માંડાનો અવતાર લીધો હતો. એવું માનવામાં આવે છે કે દેવી કુષ્માંડાએ સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી. પૂજા દરમિયાન કોળાનો ભોગ આપવાની પણ પરંપરા છે. તેની પાછળની માન્યતા છે કે આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને પૂજા સફળ થાય છે.

આ મંત્રથી કરો પૂજા-વિધિ
માતા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર- ઓમ દેવી કુષ્માંડાય નમઃ
બીજ મંત્ર- કુષ્માન્ડા ઐં હ્રીં દેવાય નમઃ

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles