જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને તર્ક શક્તિ, વાણી, વેપાર, શેર બજાર, ગણિત અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. એટલા માટે જયારે પણ બુધની ચાલમાં ફેરફાર થાય છે. તો એનો પ્રભાવ માનવ જીવન અને એના સેક્ટરો પર પડે છે. એવામાં તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર બુધ નવેમ્બરમાં ગુરુના સ્વામિત્વ વાળી રાશિ ધનમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે.
પરંતુ 3 રાશિઓ એવી છે, જેને આ સમયે વેપાર અને કરિયરમાં પ્રગતિ મળી શકે છે. સાથે જ કિસ્મત ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે.
મિથુન રાશિ
બુધનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિનો સ્વામી છે. તેમજ બુધ ગ્રહ તમારી કુંડળીના સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમયે તમને ભાગીદારીના કામમાં લાભ મળી શકે છે. તેમજ વિવાહિત જીવનમાં સુખ-સમૃદ્ધિની શુભ સંભાવનાઓ છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહેશે અને તમે એકબીજાની સલાહ લઈને વધુ સારી રીતે કામ કરી શકશો. જે લોકો અપરણિત છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. ત્યાં જ બુધ ગ્રહ તમારી રાશિથી ચોથા ઘરનો સ્વામી છે. તેથી, આ સમયે તમે વાહન અને મિલકત મેળવી શકો છો. પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના સ્વામી શનિ સાથે મિત્રતાની ભાવના ધરાવે છે. તેથી, આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. ત્યાં જ આવકના નવા સ્ત્રોત બનશે. તેમજ આ સમયે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થવાને કારણે તમને ક્યારેય ધનની કમીનો સામનો કરવો પડશે નહીં. તમને જૂના રોકાણથી ફાયદો થશે. જો તમારો વ્યવસાય નિકાસ અને આયાત સાથે સંબંધિત છે, તો તમને સારો નફો મળશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
કર્ક રાશિ
તમારા માટે બુધનું ગોચર ખુબ ફળદાયી સાબિત થઇ શકે છે. કારણ કે બુધ તમારી રાશિના પાંચમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે. એટલા માટે આ સમયે સંતાનની પ્રગતિ થઇ શકે છે. મતલબ લગ્ન અથવા નોકરી મળી શકે છે. ત્યાં જ ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. સાથે જ પ્રેમ-સબંધોમાં તમને સફળતા મળી શકે છે. ત્યાં જ બુધ ગ્રહ તમારી રાશિના ત્રીજા અને 12માં ભાવનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમે સેવિંગ કરવામાં સફળ રહેશો. ત્યાં જ સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જો તમે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માંગો છો તો કરી શકો છો.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)