fbpx
Saturday, October 26, 2024

વિષ્ણુજીએ ગરુડ પુરાણમાં બતાવેલા આ કાર્યથી કરવી જોઈએ દિવસની શરૂઆત

હિંદુ ધર્મમાં ગરુડ પુરાણનું અનોખું અને ખાસ મહત્વ રહેલો છે. જેને 18 મહાપુરાણોમાંથી એક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં એક સફળ જીવનનો સાર આપવામાં આવેલો છે. જેથી દરેક વ્યક્તિએ ગરુડ પુરાણ અવશ્ય વાંચવું જોઈએ અને તેમાં દર્શાવેલ નીતિ નિયોમો જીવનમાં ઉતારવા પણ જોઈએ.

પરંતુ ગરુડ પુરાણ વિશે સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ પછી જ તેને ઘરમાં વાંચવામાં આવે છે. ગરુડ પુરાણ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે 1.અચરખંડ 2.ધર્મકાંડ 3.બ્રહ્મકાંડ તમે ગરુડ પુરાણનો પ્રથમ ભાગ એટલે કે અચરખંડ અથવા પૂર્વાખંડ કોઈપણ સમયે વાંચી શકાય છે.

ગરૂડ પુરાણ જીવનમાં ઉતારો
ગરુડ પુરાણના પાછલા ભાગમાં સૃષ્ટિની ઉત્પત્તિ, ધ્રુવનું ચરિત્ર, બાર આદિત્યોની વાર્તા, ગ્રહોના મંત્રો, ઉપાસનાની પદ્ધતિ, ભક્તિ, જ્ઞાન, ત્યાગ, સદાચાર, યજ્ઞ, દાન, તપ, જપ જેવી ઘણી લૌકિક અને અલૌકિક બાબતો છે. આ ઉપરાંત વ્યાકરણ, છંદ, સ્વર, જ્યોતિષ, આયુર્વેદ, રત્નાસાર, નીતિસાર વગેરે વિષયોનો પણ આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી દરેક વ્યક્તિએ તેને વાંચવી જોઈએ અને તેમાં દર્શાવેલ બાબતોને જીવનમાં ઉતારવી જોઈએ. જેનાથી તે વ્યક્તિ ખરાબ કાર્યોથી દૂર રહે છે અને સુખી જીવન જીવે છે ત્યાર બાદમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ એવા કાર્યો વિશે જણાવ્યું છે, જેનાથી જો તમે તમારા દિવસની શરૂઆત કરશો તો તમને માત્ર લાભ જ થશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. ચાલો જાણીએ આ કાર્યો વિશે.

આ કાર્યોથી શરૂ કરો દિવસ
1. ગરુડ પુરાણ અનુસાર સૌથી પહેલું કામ ભગવાનની પૂજા કરવી જોઈએ. દિવસની શરૂઆત પૂજા સાથે કરવાથી દેવી-દેવતાઓ તેમજ પૂર્વજો તરફથી આશીર્વાદ મળે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.

2.સવારે ભોજન કરતા પહેલા ભગવાનને ભોગ અર્પણ કરો આ પછી જ ખોરાક અને પાણી તમે લો. તેનાથી માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિની રહેશે.

3.ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ દિવસમાં એકવાર આત્મનિરીક્ષણ કરવું જોઈએ, જેનાથી તમને સાચા-ખોટા વચ્ચેનો તફાવત ખબર પડશે અને નવા વિચારો આવશે.

4.દરરોજ તમારે કોઈ ને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી જોઈએ. તમારી ક્ષમતા મુજબ ભૂખ્યાને ભોજન કરાવવો જોઈએ. ગાયને રોટલી ખવડાવી, પક્ષીઓને અનાજ આપવું અને કૂતરાને રોટલી ખવડાવવી. જો કોઈ વ્યક્તિ આમાંથી કોઈ પણ કામ દરરોજ કરે છે તો તેને ઘણું પુણ્ય મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles