fbpx
Saturday, October 26, 2024

શુક્રવારે માતા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન, ધન-સંપત્તિની ક્યારેય કમી નહીં આવે

ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે છતાં પણ સફળતા મેળવી શકતા નથી. તમામ લોકો લાખ કોશિશ છતાં પણ સુખ શાંતિમાં જીવન વ્યતીત કરે છે. એવામાં એમને પૂજા-પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી એમનું મન શાંત થઇ શકે. વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને એમના બધા દુઃખ દૂર થાય છે. હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્‍મીનો દિવસ માનવામાં આવે છે. લક્ષ્‍મીજીને ધનની દેવી માનવામાં આવે છે.

શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે. આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. જે લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે, એમણે શુક્રવારે માતા લક્ષ્‍મીને કેટલીક વસ્તુઓ અર્પિત કરવી જોઈએ. એનાથી જીવન ખુશાલ થઇ શકે છે. આજે જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે જાણીએ કે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરી શકાય છે.

આ ઉપાય કરવાથી થશે દેવી લક્ષ્‍મી પ્રસન્ન

શુક્રવારે દેવી લક્ષ્‍મીને મોગરાનું અત્તર અર્પિત કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ દેવી લક્ષ્‍મીને ખૂબ જ પ્રિય છે અને આમ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન કરી શકો છો. એવું માનવામાં આવે છે કે મોગરાનું અત્તર ચઢાવવાથી લોકો તેમના કરિયરમાં પ્રગતિ કરે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે અને પૈસા અને અનાજની કમી નથી રહેતી.

શુક્રવારે દેવી લક્ષ્‍મીની પૂજા કરતી વખતે તેમને ગુલાબનું અત્તર અથવા કેવડાનું અત્તર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી લોકોને માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. આટલું જ નહીં, ધનની દેવીને ચંદનનું અત્તર ચઢાવવાથી લોકોના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ સિવાય રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે.

પરિણીત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્‍મીને સોળ શ્રુંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. એટલું જ નહીં શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles