fbpx
Sunday, October 27, 2024

તુલસીના છોડની આ નિશાની છે ખૂબ જ શુભ, જીવનમાં આવે છે મોટા ફેરફારો

તુલસીનો છોડ સનાતન ધર્મમાં ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.તુલસીના છોડનું સુકાઈ જવું અથવા પડી જવું નકારાત્મક સંકેત હોય છે. તુલસીના કેટલાક શુભ સંકેત હોય છે. આ સંકેત તમને જણાવે છે કે તમારા જીવનમાં કંઈક સકારાત્મક થવાનું છે.

ઘરમાં તુલસીનો છોડ સુકાતા અચાનક ફરી લીલો થઇ જાય, તો સમજી જાઓ કે જીવનમાં કંઈક સકારાત્મક થવાનું છે. આ સંકેત આપે છે કે તમને જલ્દી જ શુભ ખબર મળવાની છે. આ જણાવે છે કે માતા લક્ષ્‍મી તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને મળવાના છે.

ધન લાભના સંકેત

તુલસીના છોડની આજુબાજુ કોઈ નાના-નાના છોડ ઉગવા લાગે તો એ સમજી જાઓ કે જીવનમાં ખુશીઓ આવવાની છે. માતા લક્ષ્‍મીના આશીર્વાદ તમને મળશે. તમારી ધનની સમસ્યા ખતમ થઇ જશે. તુલસી પાસે જો દુર્વાનો છોડ ઉગે તો સમજી જાઓ કે ધનલાભ થવાનો છે.

મંજરી ઉગવા પર કરો આ ઉપાય

તુલસી પર મંજરીનું ઊગવું પણ શુભ સંકેત આપે છે. આ તમને જીવનમાં ધનની કમી થવા દેતું નથી. માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી સમયે એના પર મંજરી જરૂર ચઢાવો. આવું કરવાથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles