fbpx
Saturday, October 26, 2024

શિવજીની પ્રિય આ વસ્તુ ઘરે લાવો, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

કાલાષ્ટમી ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાલ ભૈરવને સમર્પિત હોય છે. આ દિવસે કાલ ભૈરવની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે કાલ ભૈરવની ઉપાસના કરનાર પર કોઈ સંકટ આવતું નથી. અને જો વ્યક્તિના જીવનમાં કોઈ દુ:ખ અથવા પરેશાની છે તો તે પણ દૂર થઈ જાય છે. 

કાલાષ્ટમી તિથિ પર ભક્તો ભગવાન શિવની પણ પૂજા કરે છે. કાલાષ્ટમીના વિશેષ ઉપાયો કરવાથી પણ ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. કેટલાક ઉપાયોથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. જો તમે પણ તમારા જીવનમાંથી દુઃખ અને કષ્ટ દૂર કરવા માંગો છો તો કાલાષ્ટમી તિથિ પર આ રીતે ભગવાન શિવની પૂજા કરો. સાથે જ આ દિવસે ભગવાન શિવને અતિપ્રિય આ વસ્તુઓમાંથી કોઈપણ એક ઘરે લાવો.

ડમરું

જો તમે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવા માંગો છો તો કાલાષ્ટમી પર ડમરું જરૂરથી ઘરે લાવો. ડમરું ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. તેમજ ભગવાન શિવની કૃપાથી વાસ્તુ દોષનો ખરાબ પ્રભાવ દુર થાય છે. તેથી કાલાષ્ટમીના દિવસે ડમરું ઘરે લાવો ત્યારપછી રોજ પૂજા પછી ઘરમાં ડમરું વગાડો.

ત્રિશૂળ

જો તમે ભગવાન શિવની કૃપા મેળવવા માંગતા હોય તો કાલાષ્ટમીએ ત્રિશૂળ લાવવું. તેની વિધિ-વિધાનથી પૂજા અને મંદિરમાં રાખો. એવું માનવામાં આવે છે કે ઘરમાં ત્રિશૂળ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેની સાથે સુખ-સમૃદ્ધિ પણ વધે છે.

ચંદ્ર

જો તમારે કુંડળીમાં ચંદ્રને બળવાન બનાવવો હોય તો કાલાષ્ટમી પર ચાંદીથી બનાવેલો ચંદ્ર ઘરે લાવો. મંદિરમાં તેને પધરાવી તેની પૂજા કરી તેને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ધન ધાન્ય વધે છે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles