fbpx
Sunday, October 27, 2024

રામ નામનો જાપ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ થાય છે દૂર

ભગવાન શ્રીરામના લાખો ભક્ત છે. ભગવાન રામની પૂજા અર્ચના કરવાનું મહત્વ શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી અને ભગવાન શિવ જેવા મહાન દેવતાઓએ પણ ભગવાન શ્રીરામના નામનો જાપ કર્યો છે. જો કોઈ વ્યક્તિ ભગવાન શ્રીરામના નામનો જાપ સાચી વિધિથી અને શ્રદ્ધાથી કરે તો તેના જીવનના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થઈ જાય છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. અને દોષથી છટકારો મળી જાય છે. 

ધાર્મિક શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતાર હતા. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા અને તેઓ સતત રામ નામનો જાપ કરતા રહેતા. હનુમાનજીએ શ્રીરામને પ્રસન્ન કરવા માટે રામ નામનો જાપ શરૂ કર્યો હતો. રામ નામની મહિમા અદ્વિતીય છે 

શાસ્ત્રો અનુસાર રામનું નામ લેવાથી વ્યક્તિના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે અને તેને લાભ. ફક્ત રામ નામ બોલવાથી શરીરમાં પુરા બ્રહ્માંડની શક્તિઓ પ્રવેશ કરે છે. જ્યારે રા શબ્દ બોલવામાં આવે છે તો મુખ ખુલે છે અને મ શબ્દમાં મુખ બંધ થાય છે જેનાથી શક્તિ શરીરમાં સંચાલિત થાય છે.

રામ નામના જાપને લઈને માન્યતા છે કે જે વ્યક્તિ કોઈ બીમારીથી પીડિત હોય તેણે નિયમિત રામ નામનો જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિને નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. આ સિવાય રામ દરબારનું સ્મરણ કરતા 108 વખત શ્રીરામના નામનો જાપ કરવાથી જીવનની કોઈપણ સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે. 

રામ નામનો જાપ કરવાથી વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ પ્રાપ્ત થાય છે. જે લોકો શ્રીરામના નામનું સ્મરણ કરે છે તેને સકારાત્મકતાનો અનુભવ થાય છે અને મનમાં શાંતિ રહે છે. માન્યતા છે કે કાગળ પર શ્રીરામનું નામ લખીને તેને પર્સમાં રાખવાથી ધનની વૃદ્ધિ થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles