fbpx
Saturday, October 26, 2024

ધનના દેવતા કુબેર તમારાથી નારાજ છે તો તમને મળે છે આવા સંકેત, બચવા કરો આ ઉપાય

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધનવાન બને અને તેની પાસે ક્યારેય ધનની કમી ન રહે. સુખ-સુવિધાઓની શોધમાં વ્યક્તિ દિવસ-રાત મહેનત કરે છે. જ્યારે પરિશ્રમનું ફળ મળતું નથી ત્યારે વ્યક્તિ જ્યોતિષની મદદ લે છે.

એવું કહેવાય છે કે જો તમે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરો છો તો જીવનમાં પૈસાની કમી નથી રહેતી, જો તે તમારાથી ગુસ્સે થાય છે તો જીવનભર પૈસાની અછત રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે કુબેર દેવ તમારાથી નારાજ છે, તો ચાલો જાણીએ કે કુબેર દેવ નારાજ હોય ત્યારે કેવા પ્રકારના સંકેતો જોવા મળે છે.

કરોળીયાનું જાળુ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના મુખ્ય દરવાજા પર કરોળિયાના જાળા દેખાય છે તો તે વ્યક્તિ પર કુબેર દેવ નારાજ હોવાનો સંકેત છે.

દીવો ઓલવાઈ જવો

ઘણી વખત એવું બને છે કે પૂજા દરમિયાન દીવો અચાનક બુઝાઈ જાય છે, આ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે દીવો ઓલવાવો એ દેવી-દેવતાઓના ક્રોધની નિશાની છે.

પૈસાની ખોટ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને અચાનક આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે અથવા તેને અચાનક લોન લેવી પડે છે, તો તેનો અર્થ એ છે કે કુબેર દેવ તેના પર નારાજ છે.

કાચનું તૂટવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચ તૂટવો અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક કાચ તૂટવા લાગે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે. જેના કારણે આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

બિલાડી રડતી હોય તો

જો રાત્રે કોઈ વ્યક્તિના ઘરની સામે બિલાડી રડે તો તેને અશુભ માનવામાં આવે છે. આ કોઈ ખરાબ સમાચાર મળવાનો સંકેત છે.

જો તમને પણ આવા કેટલાક સંકેતો મળી રહ્યા છે, તો તમે

सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते

મંત્રનો 21 વાર જાપ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles