નવા વર્ષની શરૂઆત પછી મકરસંક્રાંતિ સાથે તહેવારોની શરૂઆત થાય છે. તેને હિન્દુ ધર્મનો મોટો તહેવાર માનવામાં આવે છે. મકરસંક્રાંતિ વિવિધ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ તમામ શુભ કાર્યો શરૂ થાય છે. મકરસંક્રાંતિ પર વિધિ પ્રમાણે પૂજા કરવાની સાથે ગંગા સ્નાન અને દાન કરવાથી ઉત્તમ ફળ મળે છે.
આ દિવસે સૂર્યદેવની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આ વખતે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે માત્ર એક જ ઉપાય કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આર્થિક તંગી દૂર કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પર આ વસ્તુને માત્ર પૂર્વ દિશામાં મૂકવાથી જ વાતાવરણ શુદ્ધ થઇ જાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ત્યાં માતા લક્ષ્મીનો વાસ છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ પર ઘરમાં કઈ વસ્તુ રાખીએ તો દેવી લક્ષ્મીનું આગમન થાય છે. આર્થિક તંગી અને દેવાથી રાહત મળે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
આર્થિક તંગી દૂર થશે
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો મકરસંક્રાંતિના દિવસે ખાસ ઉપાય કરવાથી આ સમસ્યા દૂર થઈ જશે. ઘરમાં ધનનો પ્રવાહ વધશે. આ માટે મકરસંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં દિવાલ પર પીળા કાગળથી બનેલા સૂર્ય દેવનું પ્રતિક લગાવો. સૂર્ય દેવના પિત્તળના પ્રતીકમાં 7 ઘંટ લટકાવેલા હોય તે જરૂરી છે. જ્યારે તે હલે ત્યારે અવાજ આલે તે જરૂરી છે. તેનો અવાજ આવવાથી જ ઘરમાં સકારાત્મકતા આવે છે. શુભ ફળ પ્રાપ્ત થાય. ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે. સૂર્યના પ્રતિક તરીકે લાલ દોરાનો ઉપયોગ કરી શકો છો.
તમને આ લાભો પણ મળશે
મકરસંક્રાંતિ પર સૂર્યનું પ્રતીક લગાવવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તે ધન આકર્ષે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય. ધનનો પ્રવાહ વધે છે અને બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે.
સૂર્યદેવની આરાધના કરો
મકરસંક્રાંતિ પર સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે. તેથી સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરી લો. આ પછી, કળશમાં જળ ભરો અને તેમાં ગુલાબના પાન નાખો. આ પછી સૂર્ય મંત્ર અથવા ગાયત્રી મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછા 108 વાર મંત્રોનો જાપ કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)