fbpx
Saturday, October 26, 2024

બુધવારે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે આટલું કરો

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે ગણેશજીના નામથી કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે તો વ્યક્તિના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે. એવી માન્યતા છે કે ગજાનનની પૂજા કરવાથી દરેક કાર્ય શુભ બને છે.

બુધવારે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ગણેશજીની પૂજા કર્યા પછી જો તેમની આરતી યોગ્ય રીતે કરવામાં ન આવે તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. કહેવાય છે કે આરતી કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.

આરતી નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશજીની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ગણેશને જ્ઞાન આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ગણેશજીની આરતી કરવાથી પણ બુદ્ધિ મળે છે. કાર્યમાં સફળતા મેળવવા અને સારી બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણેશજીની આરતી અવશ્ય કરો.

આરતીમાં આ વસ્તુઓનો સમાવેશ કરો

હિંદુ માન્યતાઓ અનુસાર, ગણેશજીની આરતીમાં ગણેશજીના પ્રિય ભોગ જેવા કે મોદક, લાડુ, કેળા વગેરેનો પણ સમાવેશ કરવો જોઈએ.

ગણેશજીની આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.|
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા | 
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | 
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા || 

શ્યામ શરણ આએ સફલ કીજે સેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા.|
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles