fbpx
Thursday, October 24, 2024

શિયાળામાં વિવિધ પોષક તત્વોથી ભરપૂર પપૈયું ખાવાના છે અગણિત ફાયદા

ઠંડીની મોસમ આપણી જીવનશૈલીને સંપૂર્ણપણે બદલી નાખે છે. આ ઋતુમાં આપણી ખાવાની આદતોથી લઈને જીવનશૈલી સુધીની દરેક વસ્તુ પ્રભાવિત થાય છે. તેથી શિયાળામાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તંદુરસ્ત ખોરાક લો અને તમારા આહારમાં મોસમી ફળોનો સમાવેશ કરો. શિયાળામાં પપૈયું ખાવાના અગણિત ફાયદા છે. પપૈયા વિવિધ પોષક તત્વોથી ભરપૂર છે, જે આપણી આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

પપૈયામાં મોટી માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે તે શરીરમાં પાચનક્રિયાને સુધારે છે. આ સિવાય ડેન્ગ્યુ અને કમળાના રોગોમાં પણ પપૈયું કામ કરે છે. પપૈયાના ઔષધીય ગુણધર્મોમાં વિટામિન સી, પોટેશિયમ, ફાઈબર અને ફોલેટનો સમાવેશ થાય છે, જે આંખો, ત્વચા, પાચન અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પપૈયું માત્ર શિયાળામાં જ નહીં પરંતુ દરેક ઋતુમાં ખાઈ શકાય છે.

પપૈયાની અંદર જોવા મળતા કેરોટીનોઈડ આંખોને વાદળી પ્રકાશથી બચાવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી આંખોને સ્વસ્થ રાખવા માંગો છો, તો દરરોજ મર્યાદિત માત્રામાં પપૈયાનું સેવન કરવું ફાયદાકારક રહેશે.

પપૈયામાં માત્ર 120 કેલરી હોય છે, જે હેલ્ધી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે. પપૈયામાં હાજર ફોલેટ અને પોટેશિયમ વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ સાથે તેમાં જોવા મળતા ‘વિટામિન સી’ અને ફાઈબર પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. તેથી જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ પપૈયાનું સેવન કરો.

પપૈયામાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ જેવા વાયરલ રોગોમાં પણ પપૈયાનું સેવન કરવામાં આવે છે કારણ કે તેમાં ઈમ્યુનિટી પાવર હોય છે, જે કોઈપણ ઈન્ફેક્શનથી બચવાનું કામ કરે છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles