fbpx
Sunday, October 27, 2024

શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, મળશે મનવાંછિત ફળ

હિન્દુ ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. એવામાં આજે શુક્રવારનો દિવસ છે. આજનો દિવસ માતા લક્ષ્‍મીને સમર્પિત છે. એવામાં શુક્રવારે દેવી લક્ષ્‍મીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે જે લોકો સાચા મનથી શુક્રવારના દિવસે માતા લક્ષ્‍મીની પૂજા કરે છ. એમની બધી ઈચ્છા પુરી થાય છે. સાથે જ ધન-વૈભવની કમી આવતી નથી.

જ્યોતિષ અનુસાર, જે લોકો શુક્રવારના દિવસે વ્રત રાખે છે, એમને મન ચાહ્યું ફળ મળે છે. સાથે જ સૌભાગ્ય અને આવકમાં વધારો થાય છે. ઘરેથી વાસ્તુ દોષ દૂર થઇ જાય છે અને માતા લક્ષ્‍મીની કૃપા બનેલી રહે છે. આજે આ ખબરમાં માતા લક્ષ્‍મીને પ્રસન્ન કરવાના ચમત્કારી ઉપાય અંગે વિસ્તારથી જાણીએ.

શુક્રવાર માટેના ચમત્કારિક અને અસરકારક ઉપાય

વૈદિક શાસ્ત્રો અનુસાર, શુક્રવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું, ધ્યાન કરવું અને દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો દેવી લક્ષ્‍મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે.

શુક્રવારે આખા ચોખામાંથી બનેલી ખીર દેવી લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. કારણ કે દેવી લક્ષ્‍મીને ખીર ખૂબ જ પસંદ છે. તેથી, શુક્રવારે ખીર ચઢાવવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે દેવી લક્ષ્‍મીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવું જોઈએ. જે લોકો શુક્રવારે એક નારિયેળ અર્પણ કરે છે, તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

શુક્રવારે દેવી લક્ષ્‍મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ. કારણ કે માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. કમળનું ફૂલ ચઢાવવાથી દેવી લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે.

જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે અને ઘરમાં પણ ખુશનુમા વાતાવરણ નથી તો તેમણે શુક્રવારે વિધિ પ્રમાણે દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્‍મીની પૂજામાં આખો પરિવાર હાજર રહે.

એવું માનવામાં આવે છે કે સમગ્ર પરિવાર સાથે દેવી લક્ષ્‍મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. નાણાકીય સમસ્યાઓ દૂર થાય. વ્યક્તિને માતા લક્ષ્‍મીની કૃપા પ્રાપ્ત થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles