fbpx
Sunday, October 27, 2024

આ ઘાસ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે જેના વિના દરેક પૂજા છે અધૂરી

સનાતન પરંપરામાં દૂર્વાનું ખૂબ જ મહત્વ છે. દૂર્વા એક લીલું ઘાસ છે. આ પવિત્ર ઘાસને જુદા જુદા પ્રદેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. દૂર્વાને દૂબ, ધોલાધ્રો, કોચગ્રાસ, અનંતા વગેરે તરીકે ઓળખવામાં છે. મંગલકારી દૂર્વાને પૂજા માટેની સામગ્રી તરીકે અર્પણ કરવામાં આવે છે.

દૂર્વા ઘાસ ભગવાન ગણેશને અતિપ્રિય

સનાતન ધર્મમાં એવું કોઈ શુભ કાર્ય નથી, જેમાં દૂર્વાનો ઉપયોગ કરવામાં આવતો ન હોય.

મંગળકારી દૂર્વાનો ઉપયોગ ખાસ કરીને ભગવાન ગણેશની સાધના પૂજા દરમિયાન કરવામાં આવે છે, દૂર્વા ઘાસ ભગવાન ગણેશને વધુ પ્રિય છે. આ ઉપરાંત, લગ્ન સમયે આ પવિત્ર દૂર્વા દ્વારા તેલની વિધિ પૂર્ણ થાય છે. દૂર્વા વગર ગણપતિની પૂજા અધૂરી ગણાય છે. ગણેશજીની પૂજા કરવા માટે ફૂલોની સાથે દૂર્વા ઘાસનું પણ ખૂબ મહત્વ છે. પ્રાચીન કાળથી દૂર્વા ઘાસનું મહત્વ વધારે છે.

આવી રીતે કરો દૂર્વા ઘાસની ઓળખ

પૂજામાં ઉપયોગમાં ઉપયોગ લેવાતી દૂર્વા ઘાસને સારી રીતે ઓળખવું જરૂરી છે. દૂર્વા ઘાસ જમીન ઉપર જ્યાં-ત્યાં ઊગી આવે છે, આ ઘાસ ઉભું હોય છે. દૂર્વા ઘાસની વચ્ચે ગાંઠ હોય છે, પૂજામાં આ પ્રકારની દૂર્વા ઘાસનો જ ઉપયોગ કરવામાં આવે છે. નહીંતર ફાયદાની બદલે નુકસાન થાય છે.

ગણેશજીને દૂર્વા અર્પણ કરવાથી થતા ફાયદા

આપણા શાસ્ત્રોનું માનવું છે કે, કથા, હવન અને વિવાહમાં તેલની વિધિમાં દૂર્વા ઘાસનો ઉપયોગ કરવાથી ગણેશજીના આશીર્વાદ મળે છે. આપણા જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય છે. તેથી દરેક શુભ કાર્યમાં આ ચમત્કારી દૂર્વાનો ઉપયોગ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles