fbpx
Sunday, October 27, 2024

જાણો તમારા સ્વાસ્થ્ય માટે વધારે બેસ્ટ પનીર છે કે ટોફુ?

ઘણીવાર લોકોના મનમાં એવો પ્રશ્ન આવે છે કે પનીર કે ટોફુ સ્વાસ્થ્ય માટે શું છે વધારે બેસ્ટ. જો કે આ બંને પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો તમારે બેમાંથી એકને પસંદ કરવાનું હોય તો તમે કયું પસંદ કરશો?

પોષક તત્વોની બાબતમાં કોણ આગળ છે?

પનીર ગાય અથવા ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે સોયા દૂધના ઉપયોગથી ટોફુ બને છે. બંને સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ ચાલો જાણીએ આ બેમાંથી કયું વધારે સારું છે…

પનીર અને ટોફુ બંનેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ ટોફુમાં પનીર કરતાં વધુ આયર્ન હોય છે. આવી સ્થિતિમાં જે લોકોમાં આયર્નની ઉણપ હોય અથવા તો એનિમિયાથી પીડિત હોય તેમણે તેમના આહારમાં ટોફુનો સમાવેશ કરવો જોઈએ.

પ્રોટીન : શાકાહારીઓ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મેળવવા માટે પનીર ખાય છે કારણ કે તે ગાય અથવા ભેંસના દૂધમાંથી બને છે, જેના કારણે તેમાં ટોફુ કરતાં પણ વધુ પ્રોટીન હોય છે. જો તમે જીમમાં જાવ છો અથવા મસલ્સ વધારવા માંગો છો તો તમારા ડાયટમાં પનીરને ચોક્કસ સામેલ કરો. આ તમારા હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.

હેલ્દી ફેટ : જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારમાં પનીરને બદલે ટોફુનો સમાવેશ કરવો જોઈએ કારણ કે પનીર કરતા ઓછી ચરબી હોય છે. આવી સ્થિતિમાં, તમે ટોફુમાંથી ઘણી વાનગીઓ બનાવી શકો છો અને તેને તમારા વજન ઘટાડવાના આહારમાં શામેલ કરી શકો છો.

કેલરી : જો આપણે કેલરીની વાત કરીએ તો લોકો માને છે કે પનીરમાં ઓછી માત્રામાં કેલરી હોય છે જેના કારણે તે હેલ્ધી માનવામાં આવે છે જ્યારે એવું બિલકુલ નથી. ટોફુમાં ચીઝ કરતા ઓછી કેલરી હોય છે. તેથી જો તમારે વજન ઓછું કરવું હોય તો ટોફુ પસંદ કરો અને જો તમારે તમારું શરીર બનાવવું હોય તો પનીર પસંદ કરો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles