fbpx
Friday, October 11, 2024

ઔષધીય ગુણોથી ભરપૂર આ ઝાડના પાંદડા ગેસ, અપચો અને એસિડિટીથી આપે છે રાહત

શીશમ વૃક્ષ એક ખૂબ મોટું વૃક્ષ છે. જે ઔષધીય ગુણોનો ભંડાર છે. આમાં ઘણા પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ ઝાડમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.

આપણી આસપાસ ઘણા પ્રકારના ઔષધીય વૃક્ષો અને છોડ આવેલા છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેઓ આપણા સ્વાસ્થ્યને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે, આયુર્વેદમાં આ દવાઓનું ખૂબ મહત્વ છે. જેથી આજે અમે તમને એવા જ એક ઔષધીય વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને દરેક જગ્યાએ સરળતાથી મળી જશે. આ વૃક્ષના ફળ, ફૂલ, છાલ અને પાંદડા, દરેક વસ્તુનું ખૂબ મહત્વ છે.

આ વૃક્ષનું નામ શીશમ છે. શીશમ વૃક્ષ એક ખૂબ મોટું વૃક્ષ છે. જે ઔષધીય ગુણોનો ભંડાર છે. આ છોડમાં ઘણા એવા પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

આ વૃક્ષમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. તેમના પાંદડા એન્ટીઑકિસડન્ટો, એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી છે. આ સિવાય તેમાં વિટામિન બી, સી, ડીની સાથે મિનરલ્સ પણ મળી આવે છે. જે શરીરની ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે.

તેના પાંદડામાંથી નીકાળેલા રસને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. શીશમના પાનનું શરબત બનાવીને પીવાથી પાચનક્રિયા સુધરે છે. આ સાથે તેનું નિયમિત સેવન કરવાથી ગેસ, અપચો અને એસિડિટીથી રાહત મળે છે.

તેનો રસ પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે. જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય અથવા દાંતનો દુખાવો અને પેઢાની સમસ્યા હોય તેઓ આના પાન ચાવે તો, સમસ્યા દૂર કરી શકે છે. જો કે,ડૉ. દિક્ષિતના જણાવ્યાનુસાર,તેનો ઉપયોગ ડૉક્ટરની દેખરેખ અને સલાહ હેઠળ જ કરવો જોઈએ, કારણ કે, આ દવાની આડઅસર પણ થઈ શકે છે.

શીશમમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે વિવિધ પ્રકારના રોગોમાં ઉપયોગી છે. તેના પાનનો રસ અથવા ઉકાળો પીવાથી પેટ સંબંધિત તમામ પ્રકારની બીમારીઓ જેવી કે, લૂઝ મોશન અને પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે. જો કોઈને પાયોરિયા જેવી મોઢા સંબંધિત સમસ્યા હોય તો તેના પાન ચાવવાથી આરામ મળે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles