fbpx
Tuesday, October 8, 2024

આ શાકભાજીનું સેવન છાલ સાથે જ કરજો, સ્વાસ્થ્ય માટે છે પોષક તત્ત્વોનો ભંડાર

સામાન્ય રીતે લોકો શાકભાજીને ધોઈને છોલીને ખાય છે. પરંતુ કેટલીક શાકભાજી એવી હોય છે, જેની છાલમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. ઘણા શાકભાજીની છાલ આપણા શરીર અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

કોળુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આના કરતાં કોળાની છાલ વધુ ફાયદાકારક છે. કોળું આપણા શરીરને ફિટ રાખવા ઉપરાંત ત્વચા માટે પણ ઘણું જ ફાયદાકારક છે. એટલે તેનું છાલ સાથે જ સેવન કરવું જોઈએ.

પોષક તત્ત્વોથી ભરપૂર કાકડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, કાકડીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો અને વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં 90% સુધી પાણી જોવા મળે છે, જે આપણા ચહેરા પર ચમક લાવે છે. તેથી કાકડીનું સેવન તેની છાલ સાથે જ કરવું જોઈએ.

શક્કરિયાની છાલમાં પણ ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. તેમાં વિટામિન સી, ઇ, ફાઇબર, બીટા કેરોટીન મળી આવે છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે આંખોનું તેજ વધારવામાં અસરકારક છે. આ ઉપરાંત, તે આપણા શરીરની ત્વચાને નરમ બનાવવામાં મદદરૂપ છે.

બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ મળી આવે છે. છાલ સાથે તેનું સેવન કરવાથી આપણું શરીર પણ સ્વસ્થ રહે છે. તે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

મૂળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં વિપુલ પ્રમાણમાં એન્ટી એક્સિડન્ટ ગુણ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણી પાચન તંત્રને સ્વસ્થ રાખવાની સાથે સાથે તે આપણી ત્વચાને પણ સાફ કરે છે અને ડિટોક્સિફાય કરે છે. અને તે ત્વચા સંબંધિત વિકારોથી રાહત અપાવવામાં પણ અસરકારક છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles