fbpx
Monday, October 7, 2024

આ ડ્રિંક્સ પીવાથી માનસિક સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

આજના તણાવપૂર્ણ જીવનમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. આ કારણે, લગભગ દરેક વ્યક્તિ તણાવમાં રહે છે અને આ તણાવ અને ચિંતા, ડિપ્રેશનનું કારણ બની શકે છે. તેથી માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. આપણે ઘણી વખત આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે કોઈને કોઈ ઉપાય શોધતા રહીએ છીએ, પરંતુ આપણા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી.

શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની પણ સારી રીતે કાળજી લેવા માટે સૌથી જરૂરી છે આપણું ડાયટ, કારણ કે જો આપણું ડાયટ સારું હશે તો આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવી સ્થિતિમાં માનસિક સ્વાસ્થ્યને હંમેશા સારું રાખવા માટે કેટલાક એવા ડ્રિંક્સ છે જેનું દરરોજ સેવન કરવાથી તે માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી, આપણે દરરોજ આ ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ આવા જ કેટલાક હેલ્ધી ડ્રિંક્સ વિશે જે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખે છે.

અશ્વગંધાનું ડ્રિંક

અશ્વગંધા એક આયુર્વેદિક દવા છે જે ઘણા પ્રકારના એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર છે, જેના સેવનથી તણાવનું સ્તર ઘટે છે.

આદુનું ડ્રિંક

પોષક તત્વોથી ભરપૂર આદુનું સેવન કરવાથી તણાવમાં રાહત મળે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, વિટામિન એ, વિટામિન સી, બીટા કેરોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.

ગ્રીન ટી

એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ, ગ્રીન ટી એ એકંદર આરોગ્ય માટે ફાયદાકારક ડ્રિંક છે. આ ડ્રિંક ટ્રાઇગ્લિસરાઈડ્સ અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

બદામવાળું દુધ

પ્રોટીન, વિટામિન્સ, ફાઈબર જેવા અનેક પ્રકારના ગુણોથી ભરપૂર બદામના દૂધનું નિયમિત સેવન માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. બદામ યાદશક્તિ વધારવામાં ફાળો આપે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ માત્ર હાડકાંને જ મજબુત નથી કરતું પરંતુ માનસિક સ્વાસ્થ્યને સ્થિરતા પણ આપે છે.

લસ્સી

દહીંમાંથી બનેલી લસ્સી માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. દહીંમાં જોવા મળતા માઇક્રોબેક્ટેરિયા તણાવ અને ચિંતામાં રાહત આપે છે.

ફળ અને શાકભાજીનો રસ

ફળ અને શાકભાજીનો રસ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ ડ્રિંક્સ સિવાય ડાર્ક ચોકલેટ, ઓટમીલ ટી, બ્લુબેરી અને સ્ટ્રોબેરી સ્મૂધી, કેમોમાઈલ ફ્લાવર ટી, હળદરવાળું દૂધ વગેરે જેવા ડ્રિંક્સ પણ તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles