fbpx
Monday, October 7, 2024

શ્રીમદ્ ભગવત ગીતાના આ ઉપદેશ તમારું જીવન બદલી નાખશે, હંમેશા યાદ રાખો

હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભગવત ગીતાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. ભગવત ગીતામાં 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. જેના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણએ જીવન જીવવાની સાચી રીત જણાવી છે. ભગવત ગીતામાં સંપૂર્ણ જીવનનું રહસ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ગીતાજીના ઉપદેશને સમજે છે તે તેના જીવનને ખરા અર્થમાં જીવે છે. આજે તમને ભગવત ગીતાના આવા જ કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશ વિશે જણાવીએ. જો તમે આ ઉપદેશને એક વખત જીવનમાં ઉતારી લેશો તો કોઈ પણ પ્રકારની ચિંતા કે દુઃખ નહીં સતાવે. 

શ્રીમદ્ ભગવત ગીતાના ઉપદેશ 

ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવતા કહ્યું હતું કે, કોઈના વખાણ કે નિંદા લાભકારક છે પરંતુ તે વાત પર નિર્ભર કરે છે કે તમે તે વાતને પોતાના પર કેવી રીતે લો છો. જો તમે વખાણને સકારાત્મક રીતે અપનાવો છો અને નિંદામાંથી શીખ લ્યો છો તો તમને ભૂલ સુધારવાની તક મળે છે.

બીજા ઉપદેશ અનુસાર જ્યારે ભગવાન તમને એક ભૂલ પછી ફરી એક વખત તક આપે તો એક નવી શરૂઆત કરો. પોતાની પહેલી ભૂલને ફરીથી રિપીટ ન કરો. જો વારંવાર એક ને એક ભૂલ કરશો તો ભગવાન પણ બીજીવાર મોકો નહીં આપે તેથી હંમેશા જે તક મળી હોય તેનો લાભ લેવો. 

ભગવાન શ્રીકૃષ્ણના એક ઉપદેશ અનુસાર કોઈ વ્યક્તિ કોઈનું નથી હોતું. તેથી ઝડપથી કોઈ પણ વિશ્વાસ ન કરો. એક વખત વિશ્વાસ તૂટે છે તો અપેક્ષાઓ પણ પૂર્ણ થઈ જાય છે. તેથી પોતાના સિવાય અન્ય કોઈ પણ વિશ્વાસ ન રાખો. 

ગીતાજીનો એક મહત્વનો ઉપદેશ એ પણ છે કે કોઈપણ વ્યક્તિએ કોઈ વાતનું અભિમાન કરવું નહીં. આપનાર અને લેનાર એકમાત્ર ભગવાન છે. તમારી પાસે જે છે અને તમે જે પામવા માંગો છો તેના પર તમારો કોઈ જ અધિકાર નથી. બધું જ ભગવાનના હાથમાં છે તો અભિમાન કરવું નહીં. આ સિદ્ધાંતને સ્વીકારીને જીવનમાં આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરશો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles