fbpx
Tuesday, October 15, 2024

દેવ પોઢી અગિયારશે આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો કઈ કઈ રાશિ માટે શુભ છે ચાતુર્માસ

ચાતુર્માસ એટલે એ સમયે જેમાં ભગવાન શ્રી હરી યોગ નિંદ્રામાં પોઢી જાય છે. તેથી આ ચાર મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ ચાતુર્માસનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચાતુર્માસ ખાસ સમય હોય છે. જોકે આ વર્ષનો ચાતુર્માસ ચાર રાશિના લોકો માટે પણ ખાસ રહેશે. 

17 જુલાઈએ દેવશયની એકાદશીથી ભગવાન યોગ નિંદ્રામાં પોઢી જશે. ત્યાર પછી 12 નવેમ્બર 2024 ના રોજ ભગવાન જાગશે. જો કે 17 જુલાઈથી 12 નવેમ્બર સુધીનો સમય આ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. 

મેષ 

મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ કારકિર્દીમાં સફળતા અપાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ સુધરશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.. સુખમાં વધારો થશે. વેપારીઓ માટે સમય શુભ. 

વૃષભ 

દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોનો ગોલ્ડન પિરિયડ પણ શરૂ થશે. બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. નવી નોકરી પણ મળી શકે છે. આવકમાં વધારો થશે. કારકિર્દી માટે શુભ સમય. 

સિંહ 

સિંહ રાશિના લોકો માટે પણ ચાર મહિના ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કોઈ મોટું અને મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. ધન, પદ અને પ્રતિષ્ઠા વધશે. આવકમાં વધારો થશે. આર્થિક બાબતો માટે સમય સારો. 

કન્યા 

કન્યા રાશિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવાની છે. આ રાશિના લોકોને મોટો ધન લાભ થઈ શકે છે. ઉન્નતિના રસ્તા ખુલશે. રોકાણ માટે પણ સારો સમય. રોકાણથી રિર્ટન સારું મળશે. નોકરી અને વેપાર માટે લાભદાયી સમય.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles