fbpx
Thursday, October 24, 2024

આ દિવસથી શરૂ થાય છે ગુપ્ત નવરાત્રી, ક્યારેય ન કરો આ ભૂલો

વર્ષ દરમિયાન ચાર વખત નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવનારી નવરાત્રિને મોટો ઉત્સવ માનવામાં આવે છે. તો માઘ અને અષાઢમાં આવનારી નવરાત્રીને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈના રોજ થવાની છે. તમને જણાવી દઈએ કે તંત્ર મંત્ર શીખવા માટે ગુપ્ત નવરાત્રિ ખાસ માનવામાં આવે છે અને પૂજા દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

નવરાત્રિમાં માં દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. ત્યારે નવરાત્રિમાં આ મહાવિદ્યાઓની પૂજા પણ કરવામાં આવે છે. નિયમ પ્રમાણે જો પૂજા ન કરવામાં આવે તો મા દુર્ગા કોપાયમાન થઈ શકે છે અને જીવન પર ઘણા સંકટ પણ આવી શકે છે.

કઈ છે મહાવિદ્યા?

ગુપ્ત નવરાત્રિમાં માં કાલી, તારા દેવી, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, માં ધુમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવી પૂજા કરવામાં આવે છે. કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું, આવો જાણીએ.

આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

  • ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન રાખવું જોઈએ, ગંદકી જીવનમાં દરિદ્રતા લાવે છે.
  • ગુપ્ત નવરાત્રિમાં સામાન્ય લોકોએ માત્ર સાત્વિક પૂજા અને હવન કરવું જોઈએ.
  • ગુપ્ત નવરાત્રિ દરમિયાન તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જેમાં માંસ, દારૂ, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ.
  • આ દિવસોમાં દેવીનું રુદ્ર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે સામાન્ય લોકો માટે નથી હોતી.
  • ગુપ્ત નવરાત્રિમાં તંત્ર વિદ્યા માટે પૂજા કરવામાં આવે છે. આ માટે ઘરમાં રૌદ્ર સ્વરૂપોની સ્થાપના ન કરવી જોઈએ.
  • નવરાત્રિ દરમિયાન મોડેથી ન ઉઠવું જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ.
  • ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ દરેક લોકો કરી શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles