fbpx
Friday, September 27, 2024

દેવપોઢી એકાદશી પર કરો આ ઉપાય, પૂર્ણ થશે તમારી દરેક મનોકામના!

હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વનું સ્થાન પામેલ છે અનેક લોકો તેનું વ્રત કરતા હોય છે. આસાન માસના શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ છે, ત્યારે આ એકાદશી આવતી હોય છે. આપણા શાસ્ત્ર પ્રમાણે આ દિવસથી ચાતુર્માસની શરૂઆત માનવામાં આવે છે.

આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂઈ જાય છે અને પછી લગભગ ચાર મહિના પછી જ્યારે સૂર્ય તુલા રાશિમાં જાય છે, ત્યારે તે જાગી જાય છે. તે દિવસને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે વિવિધ પ્રકારના ઉપાય કરવાથી જીવનમાં આવેલ તકલીફમાં રાહત મળી શકે છે.

આ શુભ દિવસે ઉપાય કરીને પોતાના જીવનમાંથી તકલીફ દૂર કરી શકાય

પૂરાણોમાં ઉલ્લેખ પ્રમાણે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ બલિના દ્વારે ચાર મહિના સુધી નિવાસ કરે છે. બાદમાં દેવ ઉઠી અગિયારસના દિવસે તેઓ પરત આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું શુભકામ કરવામાં આવતું નથી. ભવિષ્ય પુરાણ, પદ્મ પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર હરિષયાનને યોગનિદ્રા કહેવામાં આવ્યું છે. આ શુભ દિવસે કઈ પ્રકારના ઉપાય કરીને પોતાના જીવનમાંથી તકલીફ દૂર કરી શકાય છે.

દેવપોઢી એકાદશીના દિવસે દેવપોઢી જતા હોય છે. આ દિવસ બાદ ચાર મહિના સુધી કોઈપણ શુભ પ્રસંગ કરવામાં આવતો નથી. આ દિવસે ગૌશાળામાં ગાયોને ચારો ખવડાવાથી પૂર્વ જન્મના બધા જ પાપ નાશ થતા હોય છે. આ ઉપરાંત આ જન્મે પણ ખૂબ જ સારું રહેતું હોય છે. અગિયારસના દિવસે આપણા ઈષ્ટદેવની પૂજા કરીને મહાદેવના મંદિરે જઈને બ્રાહ્મણોને સીધું આપવું જોઈએ. જે લોકોના ઘરમાં ફાઇનાન્સિયલ તકલીફ હોય, તે લોકોએ અમાસ અથવા તો અગિયારસના દિવસે બ્રાહ્મણોને સીધું આવવું જોઈએ જેનાથી તકલીફ દૂર થઈ શકે છે.

આ ઉપરાંત મહાદેવના મંદિરમાં જઈને પ્રાર્થના કરીને રુદ્ર અભિષેક કરવાથી પણ ધંધાકીય તકલીફ અને ફાઇનાન્સિયલ તકલીફ પણ દૂર થઈ શકે છે. જે વ્યક્તિને ઘરમાં કોર્ટ કેસ ચાલતો હોય અથવા તો કોઈ વ્યક્તિ શત્રુ બનીને તકલીફ આપતો હોય તેમને દેવપોઢી અગિયારસના દિવસે મહાદેવના મંદિરમાં જઈને સરસોના તેલથી અભિષેક કરવું જોઈએ. જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ કરવી હોય તે લોકોએ આ અગિયારસના દિવસે નાના બાળકોને કોઈપણ ફળનું વિતરણ કરવું જોઈએ. આ કરવાથી સંતાન પ્રાપ્તિની સાથે સાથે રાહુ કેતુ શનિ જેવા ગ્રહો પણ શાંત થાય છે અને રાહત રહે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles