fbpx
Saturday, September 21, 2024

શ્રાવણ શરૂ થાય તે પહેલા પતાવી લો આ કાર્ય

સોમવારને ભગવાન શંકરની પૂજા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે જે કોઇપણ ભક્ત સોમવારે ભગવાન શિવની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરે છે, તેને ભગવાન ભોલેનાથના આશીર્વાદ જલદી મળે છે. તેથી શ્રાવણ મહીનાના સોમવારનું મહત્વ વધી જાય છે. હાલ અષાઢ માસ ચાલું છે અને ત્યારબાદ હિંદુ પંચાગના પાંચમા માસ એવા શ્રાવણ મહીનાની શુભ શરૂઆત થશે. આ વખતે શ્રાવણ મહીનાની શરૂઆત સોમવારની સાથે થઇ રહી છે. એવામાં અમુક શુભ સંયોગ બની રહ્યા છે.

શ્રાવણ માસ આવતા પહેલાં ભક્તોએ ઘણી તૈયારીઓ કરવાની રહે છે, કારણ કે સંપૂર્ણ શ્રાવણ માસ ભોલેનાથને સમર્પિત હોય છે. ત્યારે તમારે પણ શ્રાવણ માસની શરૂઆત પહેલા ઘરમાં અમુક બદલાવો કરવા જોઇએ. અહીં કેટલાક એવા ફેરફારો વિશે જણાવવા જઈ રહ્યા છે, જે કરવાથી જીવનમાં સકારાત્મકતા આવશે. જો તમે આ ફેરફારો ઘરે નહીં લાવો તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઘરમાં કરો સફાઇ

શ્રાવણ મહીનાના આગમન પહેલાં તમારા ઘરને સારી રીતે સાફ કરી લો. ખાસ કરીને પૂજા સ્થળને સાફ કરો. તેમાં ગંગાજળનો છંટકાવ કરો અને જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય, ત્યારે ત્યાં શિવ-પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.

ખંડિત મૂર્તિઓ ન રાખવી

જો તમારા ઘરમાં કોઇ ખંડિત મૂર્તિ હોય તો શ્રાવણ માસ શરૂ થતા પહેલાં તેને નદીમાં પ્રવાહિત કરી દો. જણાવી દઇએ કે ખંડિત મૂર્તિઓ ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે. જો તમે ચોમાસામાં નદીએ નથી જઇ શકતા, તો તેને કોઇ મંદિર કે પીપળાના વૃક્ષ નીચે રાખી દો.

ઘર લાઈ આવો આ વસ્તુઓ

શ્રાવણ મહીનો શરૂ થતા પહેલા તમારા ઘરમાં એક ત્રિશૂલ લાવવું જોઇએ. આ ત્રિશૂલ ચાંદી કે તાંબાનું હોવું જોઇએ અને તેને તમારા ઘર કે હોલમાં સ્થાપિત કરો. આ ઉપાયથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને પોઝિટીવિટી આવશે.

તામસિક પદાર્થોનું સેવન ન કરવું

શ્રાવણ માસની શરૂઆત પહેલા ઘરમાં તામસિક પદાર્થો ન લાવશો. આ દરમિયાન લસણ અને ડુંગળી જેવી વસ્તુઓનું સેવન પણ ન કરવું. આ ઉપરાંત જો તમે દારૂ કે કોઇ પણ પ્રકારનું વ્યસન અથવા માંસાહારનું સેવન કરો છો, તો તેને તરત જ બંધ કરી દેવું જોઈએ.

જમીન પર સુવું

શ્રાવણ મહીનામાં જમીન પર સુવાનું મહત્વન જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જમીન પર સુવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે જ તમને જીવનમાં ઘણાં સકારાત્મક પ્રભાવો જોવા મળે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles