fbpx
Saturday, October 12, 2024

મંગળવારે આ ઉપાય કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા રહે છે, બધી પરેશાનીઓ દૂર થશે

અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. કહેવાય છે કે મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મંગળવારે આ ઉપાયો અપનાવવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ શકે છે.

મંગળવારના દિવસે કરો આ સરળ ઉપાય

જો તમને કોઈ પણ કામ કરવામાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય અને કોઈ પ્રકારની અડચણનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવારે મોલી લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેમના ચરણમાં રાખી દો. આ પછી હનુમાનજીના ચરણો પાસેથી સિંદૂર લઈને કપાળ પર તિલક લગાવો. પછી ત્યાં રાખેલા મૌલીમાંથી એક લાંબો દોરો કાઢીને કાંડા પર બાંધી દો અને બાકીની મૌલીને ત્યાં જ હનુમાનજીના ચરણ પાસે રાખી દો.

પરિવારની ખુશીઓ જાળવી રાખવા માટે મંગળવારે સ્નાન કર્યા પછી ચમેલીના ફૂલ લઈ અને તેની માળા બનાવો અને હનુમાનજીના મંદિરમાં જઈને તે માળા ચઢાવો. આ સાથે પરિવારની ખુશી માટે પ્રાર્થના કરતી વખતે અગરબત્તી પણ પ્રગટાવો.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પરિવારમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા અને ખરાબ નજરથી બચાવા માટે મંગળવારના દિવસે એક નાનકડું માટીનું વાસણ લઈ આવો. આ પછી આ વાસણમાં મધ નાખીને તેને ઢાંકણથી ઢાંકીને હનુમાનજીના મંદિરમાં મૂકી આવો.

જો આર્થિક સમસ્યાઓ તમારો પીછો નથી છોડી રહી અને તમે દર થોડા દિવસે આ સમસ્યાથી ઘેરાયેલા છો તો મંગળવારે હનુમાન જીના મંત્ર ‘ઓમ હં હનુમતે નમઃ’નો 21 વાર જાપ કરો.

તમારા કાર્યની ગતિ જાળવી રાખવા અથવા કોઈ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે મંગળવારે સફેદ કાગળ અને કેસર સિંદૂર લઈ તેમાં ચમેલીનું તેલ ઉમેરો, સફેદ કોરા કાગળ પર ભગવાન શ્રી રામનું 11 વાર નામ લખો. જ્યારે તે સુકાઈ જાય પછી તેને ફોલ્ડ કરીને તમારા પર્સમાં રાખો.

સંતાન પ્રાપ્તિની ખુશી મેળવવા માટે મંગળવારના દિવસે સ્નાન કર્યા પછી એક નારિયળ અને 1.25 મીટર લાલ કપડું લઈ તેને નારિયેળની આસપાસ લાલ કપડું લપેટીને હનુમાનજીના મંદિરમાં ચઠાવો. ત્યારબાદ ઘરમાં કોઈ યોગ્ય સ્થાન પર બેસીને હનુમાનાષ્ટકનો પાઠ કરો.

મંગળવારે સફેદ ચંદનને પથ્થર પર ઘસીને તેનો લેપ બનાવી ભગવાન વિષ્ણુના મંદિરે અથવા મૂર્તિ પર તિલક લગાવવાથી જીવનસાથી સાથેના સંબંધોને મધુર બને છે. તેમજ બાકીના લેપને તમારા જીવનસાથી અને તમારા બંનેના કપાળ પર લગાવો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles