fbpx
Saturday, September 21, 2024

જાણતા-અજાણતા આ ભૂલો કરવાથી શનિદેવ થશે ક્રોધિત, બગડી જશે બધા કામ

શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિ તમારા કર્મો મુજબ તમને ફળ આપે છે. માટે જો તમે જાણતા-અજાણતા કેટલાક લોકોને પરેશાન કરો છો, તો તમારે શનિદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

શનિ દેવ વ્યક્તિને રાજામાંથી રંક બનાવી શકે છે તો રંકમાંથી રાજા પણ બનાવી દે છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. માટે તેઓ આપણા કર્મોના આધારે ફળ આપે છે. માટે ભક્તોએ અમુક એવી ભૂલો બિલકુલ ન કરવી જોઈએ જેનાથી શનિદેવ નારાજ થઈ શકે છે અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

કહેવાય છે અમુક જરૂરિયાતમંદોને પરેશાન કરવાથી શનિદેવ પોતાની વક્રી દ્રષ્ટિ પાડે છે અને એમનું જીવન મુશ્કેલીઓથી ભરી દે છે. તો ચાલો જાણીએ કેટલાક એવા લોકો અંગે જેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ.

જો તમે ઘરના વડીલોનું અપમાન કરો છો અથવા હેરાન કરો છો તો તમે શનિદેવના ક્રોધનો શિકાર બની શકો છો. ભૂલથી પણ વડીલોનું અપમાન ન કરો જેથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે અને ઘરમાં સમૃદ્ધિ આવે.

ગરીબ અથવા અસહાય વ્યક્તિને પરેશાન કરો છો અથવા તેનું અપમાન કરો છો, શનિદેવ તમારા કૃત્યથી ગુસ્સે થઈ શકે છે અને તમારે તેના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે.

સનાતન પરંપરામાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી જ્યારે તમે નાના અને અસહાય બાળકોને હેરાન કરો, નહિંતર શનિદેવને ગુસ્સે કરી શકો છો.

ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો પોતાના ઘરમાં કામ કરતા નોકર સાથે ખરાબ વર્તન કરે છે અને ક્યારેક તેમનું અપમાન પણ કરે છે. આવી સ્થિતિમાં તમારે શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે.

ઘણી વખત લોકો શેરીઓમાં રહેતા કૂતરા અને તેમના બાળકોને હેરાન કરે છે. ખાસ કરીને જો તમે કાળા કૂતરા સાથે ખરાબ વર્તન કરો છો, તો શનિદેવ ગુસ્સે થઈ શકે છે.

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles