fbpx
Saturday, October 12, 2024

દશેરાના દિવસે ભૂલથી પણ કોઈએ આ વસ્તુ ન આપવી જોઈએ!

દેશભરમાં આજે દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આજે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરા આપણને હંમેશા એ શિખવાડે છે કે અસત્ય પર હંમેશાં સત્યની જીત થાય છે. દશેરા હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે ઘણા શુભ કાર્ય કરવામાં આવે છે, પરંતુ અમુક વાતોનું વિશેષ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તમે સાંભળ્યું હશે કે દશેરાના દિવસે અમુક ચીજો આપવી અશુભ માનવામાં આવે છે અને ત્રણ ચીજો તો એવી છે, જેણે ભૂલથી દાન કરીએ તો જિંદગીભર ગરીબી છવાઈ જાય છે.

દશેરા પર દાનનું વિશેષ મહત્વ

કોઈ પણ તહેવાર હંમેશાં સકારાત્મક ભાવનાઓની સાથે મનાવવો જોઈએ. દશેરાના દિવસે દાન કરનું પુણ્યનું કામ માનવામાં આવે છે, પરંતુ દાન કરતી સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે. દશેરાના દિવસે અમુક ચીજોનું દાન ના કરવાની માન્યતા પેઢી દર પેઢી ચાલી આવી છે. જોકે, તેને ફોલો કરવું અને માન્યતાઓને મહત્વ આપવી તમારી વ્યક્તિગત પસંદ પર નિર્ભર કરે છે.

લોખંડની વસ્તુઓ ના કરો દાન

દશેરાના દિવસે લોખંડની વસ્તુઓની દાન ભૂલથી પણ ના કરવું જોઈએ. જોકે, લોખંડને શનિ ગ્રહ સાથે જોડવામાં આવે છે અને શનિ ગ્રહને કષ્ટદાયક માનવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોની પુજા કરવામાં આવે છે. દશેરાના દિવસે લોખંડ આપવાથી શનિદેવનો પ્રકોપ વધી જાય છે. એટલા માટે વિજયાદશમીના દિવસે લોખંડના દાન કરવાથી બચવું જોઈએ, તેનાથી આર્થિક નુકસાન, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને માનસિક પરેશાનીઓ થઈ શકે છે.

જૂના કપડા દાન કરવાથી બચો
જૂના કપડા કોઈને આપવા તો આમ પણ અશુભ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેનાથી તમારી સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઉર્જા કપડાની સાથે ચાલી જાય છે, પરંતુ જો દશેરાના દિવસે જૂના કપડાનું દાન કરો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. તે ગરીબી અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે.

ભૂલથી પણ ના કરો તેલનું દાન

દશેરાના દિવસે તેલનું દાન કરવાથી બચવું જોઈએ, નહીં તો જીવનમાં ગરીબી આવી શકે છે. જોકે, તેલને ધનનું પ્રતિક માનવામાં આવે છે અને તમે જો દશેરા દિવસે તેલનું દાન કરો છો તો આ ધનની હાનિનું કારણ બની શકે છે. એટલા માટે વિજયાદશીમાના દિવસે કોઈને પણ તેલ આપવું જોઈએ નહીં, નહીં તો તેનાથી આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે.

આ ચીજોને પણ કોઈને આપવાથી બચો

દશેરાનો દિવસ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે આ દિવસ કોઈને નુકસાન પહોંચાડવાથી બચવું જોઈએ. દશેરાના દિવસે કોઈને પણ સોય, ચા અને ખાંડ પણ આપવી જોઈએ નહીં. તેના સિવાય વિજયાદશમીના દિવસે કોઈ પ્રસાદમાં લવિંગ આપે તો પણ ભૂલથી લેવું જોઈએ નહીં. તેના સિવાય સફેદ રંગનો કોઈ પ્રસાદ પણ લેવો જોઈએ નહીં. આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારા પર હાવી થઈ શકે છે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles