fbpx
Tuesday, October 15, 2024

કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જાણો તેના સેવનના ફાયદા અને ગેરફાયદા

લોકોને સ્વસ્થ રહેવા માટે ફળોનું સેવન કરવા માટે કહેવામાં આવે છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકોને કેળા ખાવા ગમતા હોય છે. એક્સપર્ટ દ્વારા દરરોજ એક કેળું ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં મળી આવતા વિટામીન A, C અને B-6, આયર્ન, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ શરીરને પૂરતું પોષણ પ્રદાન કરે છે. આજે અમે આ આર્ટિકલમાં તમને કેળાના સેવન ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છે.

કેળાના સેવનના ફાયદા

  • કેળા હૃદય સંબંધિત રોગોથી બચાવે છે
  • કેળામાં એમિનો એસિડનું પ્રમાણ વધુ હોવાથી હોર્મોનનું સ્તર યોગ્ય રહે છે અને મૂડ સારો રહે છે. તેનાથી તણાવ ઓછો થાય છે.
  • કેળામાં વિટામિન B6 મળી આવે છે, જે મગજની શક્તિ વધારવામાં ફાયદાકારક હોય છે અને તેના સેવનથી યાદશક્તિ વધે છે.
  • કેળા કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.
  • કેળામાં પોટેશિયમ મળી આવે છે, વર્કઆઉટ પછી નિયમિત રીતે કેળા ખાવાથી ફાયદો થઈ શકે છે.
  • કેળા વજનને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.

કેળાના સેવનના ગેરફાયદા

  • કિડનીની સમસ્યામાં કેળાનું સેવન ઓછું કરવું જોઈએ. કેળામાં મળતું પોટેશિયમ કિડની પર દબાણ લાવે છે.
  • કેળામાં જોવા મળતા ફ્રક્ટોઝ પેટમાં ગેસની સમસ્યા પેદા કરી શકે છે.
  • કેળામાં પ્રોટીન ઓછું હોય છે, તેના સેવનથી માંસપેશીઓ નબળી પડી શકે છે.
  • કેળામાં વધુ માત્રામાં કેલરી હોય છે, જેનાથી વજન વધે છે. વધતા વજનથી પરેશાન લોકોએ કેળાનું સેવન ટાળવું જોઈએ.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles