fbpx
Thursday, October 24, 2024

ભૂલથી પણ શિવલિંગ પર આ વસ્તુ ન ચઢાવો, નહીં તો ભોલેનાથ ક્રોધિત થશે

દેવોના દેવ મહાદેવ તેમના ભક્તોની પ્રાથના ખૂબ જ ઝડપથી સાંભળે છે. ભગવાન શિવની જ્યારે મનથી પૂજવામાં કરવામાં આવે ત્યારે તુરંત પ્રસન્ન થાય છે, તેથી તેમને સૌથી પ્રિય દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જો ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ મળતું નથી અને ભગવાન પણ ક્રોધિત થાય છે.

માસિક શિવરાત્રીનો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. ભગવાન ભોલેનાથની પૂજા કરવાની સાથે શિવલિંગની પૂજા કરવાના પણ અલગ-અલગ નિયમો છે, જે અનુસાર આપણે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન ચઢાવવી જોઈએ, નહીં તો ભગવાન શિવ ગુસ્સે થઈ શકે છે.

શિવલિંગનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. શિવલિંગની પૂજા દરમિયાન કઈ વસ્તુઓ ચઢાવવાની મનાઈ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. શિવપુરાણ અનુસાર જો ભૂલથી પણ આ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થવાને બદલે પોતાના ભક્ત પર નારાજ થઈ જાય છે અને તમે પુણ્ય પ્રાપ્ત કરવાને બદલે પાપમાં ભાગીદાર બની જાવ છો.

શિવલિંગ પર આ વસ્તુઓ ન ચઢાવો

તુલસીનો છોડ

ભગવાન નારાયણની પૂજા તુલસી વિના ક્યારેય પૂર્ણ થતી નથી, પરંતુ ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ. આવું કરવા પાછળની માન્યતા એવી છે કે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ ભગવાન શિવે કર્યો હતો અને તુલસી પણ લક્ષ્‍મી સ્વરૂપ છે. તેથી શિવલિંગ પર તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

કેતકી ફૂલ

કેતકી ફૂલે બ્રહ્માના કહેવા પર ભગવાન શંકર સાથે ખોટું બોલ્યા હતા, જેના કારણે ભગવાન શંકર ખૂબ જ નારાજ થયા હતા. તે પછી ભગવાન શંકરે કેતકીને શ્રાપ આપ્યો કે તેનો ઉપયોગ ક્યારેય ભગવાન શિવની પૂજામાં નહીં થાય.

નાળિયેર પાણી

ભગવાન શિવને શ્રીફળ ચઢાવવામાં આવે છે પરંતુ નારિયેળ પાણીથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે અને ધનની હાનિ થાય છે.

શંખથી અભિષેક

અન્ય દેવી-દેવતાઓને શંખથી અભિષેક કરી શકાય છે પરંતુ શિવલિંગ પર ક્યારેય શંખનો અભિષેક ન કરવો જોઈએ. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં ભગવાન શંકરે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તે જ રાક્ષસમાંથી શંખનો જન્મ થયો હતો, ત્યારબાદ શિવલિંગને શંખ ચઢાવવામાં આવતો નથી.

તૂટેલા ચોખા

ભગવાન શિવને ચોખા ખૂબ જ પ્રિય છે પરંતુ તૂટેલા ચોખા ક્યારેય પણ શિવલિંગને ન ચઢાવવા જોઈએ. આમ કરવાથી ભગવાન શંકર ક્રોધિત થાય છે. શિવલિંગની પૂજા કરતી વખતે હંમેશા આખા ચોખા જ ચઢાવવા જોઈએ.

કાળા તલ

શિવલિંગનો જલાભિષેક કરતી વખતે અથવા દૂધનો અભિષેક કરતી વખતે ક્યારેય તલનો ઉપયોગ ન કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના મિલનથી કાળા તલનો જન્મ થયો છે, તેથી તેને ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવવો જોઈએ.

સિંદૂર અને હળદર

શિવલિંગ પર હળદર અને સિંદૂરનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે કારણ કે આ બંને સુંદરતા દર્શાવે છે અને ભગવાન શંકર હંમેશા તેમના શરીર પર ભસ્મ લગાવે છે છે અને તેમને સુંદરતા બિલકુલ પસંદ નથી. ભગવાન શંકર શ્રીગાંરની વસ્તુ સ્વાકારતા નથી, તેથી શિવલિંગ પર સિંદૂર અને હળદર ન ચઢાવવી જોઈએ.પરંતુ માતા પાર્વતીની પૂજામાં હળદરનો ઉપયોગ કરી શકાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles