fbpx
Thursday, October 24, 2024

નારિયેળ પાણી શરીરને ડિટોક્સ કરશે અને કિડનીની પથરી પણ દૂર કરશે, જાણો તેના ફાયદા

જેમ જેમ ઉનાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ નારિયેળ પાણીનો વપરાશ વધતો જાય છે. શરીરને ઠંડક આપવાની સાથે-સાથે તમારી જાતને હાઇડ્રેટ કરવાનો આ સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. તેમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને સરળતાથી ડિટોક્સિફાય કરે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસના નુકસાનને દૂર કરીને રોગોને રોકવામાં મદદ કરે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસથી ભરપૂર નારિયેળનું પાણી ચયાપચયની ક્રિયાને વધારે છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે કોષોને થતા નુકસાનને ઠીક કરવામાં મદદ કરે છે.

નારિયેળ પાણી ડાયાબિટીસ ટાઈપ 2 દર્દીઓના બ્લડ શુગર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, તે હિમોગ્લોબિન લેવલને જાળવી રાખવામાં પણ ઘણી મદદ કરે છે.

એટલું જ નહીં, તેમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસ ટાઈપ ટુના દર્દીઓની ઈન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે.

અન્ય એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નાળિયેરનું પાણી કિડનીમાં સ્ફટિકો અને પથરીને બનતા અટકાવે છે અને જેને કિડનીની પથરી છે તેની પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

નારિયેળ પાણી હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો તેનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલું પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે જેથી હૃદયને બ્લડ પમ્પ કરવામાં તણાવ ન આવે.

જો તમે લાંબા સમય સુધી વર્કઆઉટ કરો છો તો તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી નાળિયેર પાણીમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ મળીને શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ અને પાણીની ઉણપને તરત જ પૂરી કરે છે.

આ રીતે જો તમે નારિયેળ પાણીનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. જો કે, જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ નારિયેળ પાણીનું સેવન કરવું વધુ સારું રહેશે.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles